પાકિસ્તાનમાં ઘૂસીને ઓપરેશન સિંદૂર પાર પાડ્યું, જાણો ભારતની એર સ્ટ્રાઇકમાં ધ્વસ્ત થયેલા 9 ઠેકાણા કઈ કઈ જગ્યાએ છે?

Rudra
By Rudra 3 Min Read

Operation Sindoor : ભારતે આતંકવાદ સામે મોટી કાર્યવાહી કરતા મંગળવારે રાતે દોઢ વાગ્યે 9 આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી. આ હુમલાને ઓપરેશન સિંદૂરનું નામ આપવામાં આવ્યું છે. આ ત્રણેય સેનાઓનું સંયુક્ત ઓપરેશન હતું. ભારતની સેનાઓએ પાકિસ્તાનના 4 અને પીઓકેના 5 ઠેકાણાને ટાર્ગેટ કર્યા છે. ભારતની ગુપ્તચર એજન્સી RAWએ તમામ ટારગેટની ઓળખ કરી હતી, ત્યાર બાદ પ્લાનિંગ સાથે લશ્કર અને જૈશના ઠેકાણા પર હુમલો કર્યો. આવો જાણીએ કે ક્યા ક્યા ઠેકાણા છે અને ઇન્ટરનેશનલ બોર્ડરથી કેટલા દૂર છે.

  • બહવાલપુર – આંતરરાષ્ટ્રીય સીમાથી આશરે 100 કિમી દૂર સ્થિત છે. અહીં જેશ-એ-મોહમ્મદનું કાર્યાલય હતુ, જેણે ભારતીય સેનાએ ધ્વસ્ત કરી નાખ્યું છે.
  • મુરીદકે – આ આતંકી ઠેકાણું ઇન્ટરનેશનલ બોર્ડરથી 30 કિમી દૂર છે, અહીં લશ્કર-એ-તૈયબાનો કેમ્પ હતુ. જો કે, 26/11 મુંબઈ હુમલા સાથે જોડાયેલા હતા.
  • ગુલપુર – આ આતંકી ઠેકાણા LoCથી 35 કિલોમીટર દૂર સ્થિત છે.
  • લશ્કર કેમ્પ સવાઈ – આ આતંકી ઠેકાણુ પીઓકે સેક્ટરથી 30 કિમી દૂર સ્થિત છે.
  • બિલાલ કેમ્પ – જૈશ-એ-મોહમ્મદના લોન્ચપેડ, અથવા ઠેકાણા આતંકીઓની સીમા પાર મોલવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
  • કોટલી – એલઓસીથી 15 કિમી દૂર સ્થિત લશ્કરના કેમ્પ, આ 50થી વધુ આતંકીઓની ક્ષમતાવાળું ઠેકાણું હતુ.
  • બનાલારા કેમ્પ – આ આતંકી ઠેકાણું એલઓસીથી 10 કિમી દૂર આવેલું હતુ.
  • સરજાલ કેમ્પ – સાંબા-કઠુઆની સામે ઇન્ટરનેશનલ બોર્ડરથી 8 કિમી દૂર સ્થિત જૈશનું તાલીમ કેન્દ્ર.
  • મેહમૂના કેમ્પ (સિયાલકોટની પાસ) – આ હિજ્બુલ મુજાહિદીનનું તાલીમ કેન્દ્ર હતુ અને ઇન્ટરનેશનલ બોર્ડરથી 15 કિમી દૂર સ્થિત હતુ.

ભારતની એર સ્ટ્રાઇક બાદ રક્ષા મંત્રાલય તરફથી જાહેર પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતુ કે, થોડી વાર પહેલા ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરની શરૂઆત કરી. જેમાં પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત એવા આતંકવાદી માળખાને નિશાન બનાવાયા, જ્યાંથી ભારત સામે આતંકી હુમલાની યોજના બનાવવામાં આવી રહી હતી અને તેને અંજામ આપવામાં આવી રહ્યો હતો. આગળ કહ્યું કે કુલ મળીને 9 સ્થળને નિશાન બનાવવામાં આવ્યાં છે. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, અમારી કાર્યવાહી ઉકેશ્કેરણીજનક નથી, કોઈપણ પાકિસ્તાની સૈન્ય સંસ્થાને નિશાન બનાવવામાં આવી નથી. ભારતે ટાર્ગેટ પસંદ કરવામાં સંયમ રાખ્યો છે.

ભારતની એ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાની આર્મીનું નિવેદન પણ સામે આવ્યું છે. પાકિસ્તાન આર્મીએ કહ્યું કે 6 જગ્યા પર 24 હુમલા કરવામાં આવ્યાં છે. તેમાં 8 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 33 લોકો ઘાયલ થયા છે. જ્યારે ભારતીય સેનાની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાન એલઓસી પર સતત સિઝફાયરનો ભંગ કરી રહ્યું છે. 6-7 મેની રાતે પાકિસ્તાન સેનાએ જમ્મુ કાશ્મીર સામે નિયંત્રણ સીમા અને આંતરરાષ્ટ્રીય સીમા પર સ્થિત પોતાની ચોકીઓથી ઉશ્કેરણીજનક ગોળીબાર અને બોમ્બમારો કરે. આ અંધાધુંધ ફાયરિંગ અને ગોળીબારમાં ત્રણ નાગરિકોનો જીવ ગયો. ભારતીય સેનાએ આ કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપ્યો છે.

Share This Article