ઓઇલ એન્ડ નેચરલ ગેસ (ઓએનજીસી) હિંદુસ્તાન પ્રેટ્રોલિયમ કોર્પોરેશન (એચપીસીએલ) (બીએસઇ/એનએસઇઃ ૫૦૦૧૦૪) માં સરકારના તમામ ૫૧.૧૧ ટકા શેરની ખરીદી કરશે. આ ખરીદીને કારણે ભારત સરકાર દ્વારા ઓઇલ મેજર બનવા તરફ પ્રોત્સાહન મળી રહેશે. જે આંતરરાષ્ટ્રીય અને ખાનગી ક્ષેત્રની ઓઇલ એન્ડ ગેસ કંપનીઓ સામે ઉમદા પ્રદર્શન આપવા સક્ષમ બનાવશે. આ વિશે નાણા મંત્રી અરૂણ જેટલીએ પોતાના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી. ઓએનજીસી સરકારને શેર દીઠ ૪૭૩.૯૭ રૂપિયાની ચૂકવણી કરશે.
ઓએનજીસી એચપીસીએલમાં સરકારના તમામ ૫૧ ટકા શેરની ખરીદી કરશે

By
KhabarPatri News
0 Min Read
