કોંગ્રેસ દ્વારા લોકસભાની કાર્યવાહી ખોરંભવા સામે ગુજરાતમાં ભાજપના તમામ સાંસદોનો એક દિવસનો પ્રતિક  ઉપવાસ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

તાજેતરમાં જ સંસદનું બજેટ સત્ર કોંગ્રેસ દ્વારા ખોરવી નાંખવામાં આવ્યું  હતું. જેનો વિરોધ કરવા માટે ગુરુવારે ભાજપનાં તમામ સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ એક દિવસના પ્રતિક ઉપવાસ કરશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી લાલ દરવાજા ખાતે જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં પ્રતિક ઉપવાસ પર બેસશે.

લોકશાહીમાં બજેટ સત્ર ચાલવા નહીં દેવાની કોંગ્રેસની આ નીતિરીતિને વખોડવા માટે દેશભરમાં ભાજપના સાંસદો-મંત્રીઓ ઉપવાસ કરવાના છે. જેના ભાગરૂપે ગુજરાતમાં પણ ભાજપ દ્વારા સંગઠનના તમામ નાના-મોટા નેતાઓ -મંત્રીઓ-સાંસદો અને ધારાસભ્યોને ઉપવાસમાં જોડાવવાનું કહેવાયું છે.

ભાજપના નેતાઓ દ્વારા એવો આક્ષેપ કરાયો છે કે, કોંગ્રેસ ભાગલાવાદી રાજકારણ રમી રહી છે. સંસદની કાર્યવાહી સતત ખોરવીને લોકશાહીનાં મંદિરનું અપમાન કર્યું છે. કોંગ્રેસની પ્રજા સમક્ષ પોલ ખોલવા માટે ગુરૂવારે સવારે ૧૧થી સાંજના પાંચ વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ કરવામાં આવશે.

Share This Article