વિશ્વ પર્યાવરણ દિવસે આજે પૂર્વ વિભાગમાં આવેલા પૌરાણિક ટેબલી હનુમાનજી મંદિર ખાતે મંદિર પરિસરમાં પ્લાસ્ટિકની સાફ સફાઈ સ્વદેશી જાગરણ મંચ કર્ણાવતી પૂર્વ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. મંદિરમાં જઈને હનુમાનદાદા અને મહંત યોગેશદાસજીના આશીર્વાદ મેળવીને સાફ સફાઈ ચાલુ કરી હતી.
પહેલા મંદિર પરિસર સાફ લાગતું હતું પણ જેવું શોધી ને પ્લાસ્ટિક વીણવાનું ચાલુ કરતા ત્રણ કોથળા ભરી પ્લાસ્ટિક મળ્યું હતું. મંદિરમાં પડેલો જૂનો કચરો પણ નિકાલ કર્યો હતો. ત્યારબાદ સૌ સાથે બેસીને ચર્ચા કરી હતી મંદિર તરફથી ચા આપવામાં આવી અને મંદિર ના અનુયાયીઓ પણ અમારી સાથે બેસ્યા હતા અને ચંદન ની વ્યવસ્થા રાખેલ હતી.
સૌ કોઈ સાથે મળીને હનુમાનચાલીસા નો પાઠ સમૂહમાં કર્યો હતો. ત્યારબાદ મંદિર ની આજુબાજુ ગાયો, કૂતરા અને વાંદરા ને બિસ્કિટ અને અન્ય વસ્તુઓ ખવડાવી હતી. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સાફ સફાઈ અભિયાનમાં નિર્મલ પટેલ, યોગેશભાઈ દીક્ષિત, ડૉ દિલીપભાઈ શર્મા, ડૉ મેધાવીબેન, દિવ્યેશભાઈ શાહ, પ્રવીણભાઈ સુથાર અને મુકેશભાઈ પરમાર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.