50માં જન્મદિવસે રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં પેટ્રોલમાં 9 રૂપિયા સુધી ઘટાડો કર્યો

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેના જન્મ દિવસે રાજ્યમાં સસ્તું પેટ્રોલ વેચવામાં આવ્યું. જેના કારણે ઘણાં પેટ્રોલ પંપો પર લોકોની લાંબી લાઇનો જોવા મળી. પોતાના 50માં જન્મદિવસ પર રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના પસંદગીના પેટ્રોલપંપ પર પેટ્રોલની કિંમતોમાં 4 થી 9 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે.

તેમની પાર્ટીના કાર્યકર્તાઓએ જણાવ્યું કે, સવારે 8 વાગ્યાથી ઓછા ભાવે પેટ્રોલ વેચવામાં આવી રહ્યું છે અને આ યોજના બપોર સુધી ચાલશે. નોંધનીય છે કે, પેટ્રોલ-ડિઝલના ભાવોમાં વધારાના મુદ્દે રાજ ઠાકરેએ ખુલીને ભાજપ સરકારનો વિરોધ કરી રહ્યાં છે. તેમણે એક કાર્ટૂન પણ પોસ્ટ કર્યું હતું, જેમાં વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામાન્ય માણસને હેરાન કરતા દેખાઇ રહ્યાં છે.

Share This Article