હવે સ્ટાર બ્રાડ પીટે જેનિફર એનિસ્ટનની માફી માંગી છે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

લોસએન્જલસ : હોલિવુડના અભિનેતા બ્રાડ પીટે આખરે અભિનેત્રી જેનિફર એનિસ્ટનની માફી માગી લીધી છે. ગેરહાજર પતિ તરીકે રહેવા અને એન્જેલિના જોલી માટે તેને છોડી દેવા બદલ આખરે માફી માફી લીધી છે. જાલીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં છુટાછેડા લેવા માટે અરજી દાખલ કરી હતી. હોલિવુડના આ બન્ને સુપરસ્ટારએ બે વર્ષ પહેલા લગ્ન કરી લીધા હતા. બન્ને વર્ષ ૨૦૦૪થી એક સાથે રહેતા હતા. આ બન્નેના છ બાળકો છે. એક વેબસાઇટે માહિતી આપતા કહ્યુ છે કે પીટ કઇક નવી કરવા હાલમાં વિચારી રહ્યો છે. સુત્રોએ કહ્યુ છે કે પીટે તેના દ્વારા કરવામાં આવેલી તમામ ભુલોની માફી માંગી ચુક્યો છે.

સુત્રોએ કહ્યુ છે કે જ્યારે પીટે માફી માંગી ત્યારે અગાઉની તમામ પીડા બહાર આવી ગઇ હતી. જેનિફર એનિસ્ટન પોતાની તમામ ભાવનાને કાબુમાં રાખવામાં સફળ રહી હતી. કેટલાક વર્ષોથી દબાવીને રાખવામાં આવેલી તમામ પીડા બહાર આવી ગઇ હતી. તે આખરે રડી પડી હતી. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પીટે કબુલાત કરી હતી કે તેઓ ક્યારેય સારા સાથી તરીકે સાબિત થઇ શક્યા ન હતા.

પીટે તેના ગેરહાજર પતિ બનવાની સાથે સાથે શરાબી અને તેમના સમયને ખરાબ કરવા બદલ માફી માગી છે. જેનિફર એનિસ્ટન હવે પોતે અભિનેતા જસ્ટીન થેરોક્સ સાથે લગ્ન કરી ચુકી છે. જેનિફરે પીટની માફી સ્વીકારી લીધી છે. હવે તેમની વચ્ચે કોઇ પણ પ્રકારના સંબધ નથી. બીજી બાજુ બ્રાડ પીટ પોતે હાલમાં ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. તે એન્જેલિના જાલી સાથે છુટાચેડા લીધા બાદ ભારે નારાજ દેખાઇ રહ્યો છે. સાથે સાથે તેની લાઇફ ખરાબ થઇ હોવાનુ માની રહ્યો છે. કોઇ સમય બ્રાડ પીટ અને એનિસ્ટન વચ્ચે પણ ખુબ સારી કેમિસ્ટ્રી રહી હતી.

Share This Article