નિપાહ વાયરસથી સુરક્ષાના પગલે  સાઉદી અરબ દ્વારા કેરળના  ફળ અને શાકભાજીની આયાત પાર પ્રતિબંધ લાદ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નિપાહ વાયરસને ધ્યાનમાં રાખીને કેરળ તરફથી નિકાસ થતા  ફળો અને શાકભાજી પર સાઉદી અરબ તરફથી  પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  તારીખ 29 મે ના રોજ સાઉદી અરબે કેરળથી આવતી વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

યુનાઇટેડ આરબ અમિરાતે અધિકારીઓને જણાવ્યું હતું કે, કેરળથી આયાત કરવામાં આવેલા 100 ટન ફળો અને શાકભાજીના પ્રવેશ પર પ્રતિબંધ  કરવામાં આવ્યો છે.   UAEની આરોગ્યની એક કંપનીએ કેરળ સરકારને નિપાહથી લડવા માટે ઉપચાર સામગ્રી મોકલી છે. ઉલ્લેખનીય  છે  કે નિપાહ વાયરસથી અત્યાર સુધીમાં કેરળમાં 16 લોકોના મોત થયા છે.

 

Share This Article