નરેન્દ્ર મોદી નેતા નહીં અભિનેતા છે : પ્રિયંકા

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

મિરઝાપુર : લોકસભા ચૂંટણી માટે પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ અને વડાપ્રધાન મોદીની સામે આકરા પ્રહાર કર્યા હતા. મિરઝાપુરમાં રેલી દરમિયાન પ્રિયંકા ગાંધી વાઢેરાએ મોદીને એક અભિનેતા તરીકે ગણાવ્યા હતા. પ્રિયંકાએ કહ્યું હતું કે, મોદી નેતા નહીં બલ્કે એક અભિનેતા છે. અમિતાભ બચ્ચનને તેમની જગ્યાએ વડાપ્રધાન બનાવી દેવામાં આવ્યા હોત તો પણ સારુ રહ્યું હોત. પ્રિયંકાની રેલીમાં ઓમપ્રકાશ રાજઘરની પાર્ટીના સમર્થકો પણ દેખાયા હતા. મિરઝાપુરથી કોંગ્રેસના ઉમેદવાર લલિતેશપતિ ત્રિપાઠી માટે પ્રચાર કરવા પહોંચેલા પ્રિયંકાએ કહ્યું હતું કે, મોદી નેતા બલ્કે અભિનેતા છે.

દુનિયાના સૌથી મોટા અભિનેતાને વડાપ્રધાન બનાવી દીધા છે. અમિતાભ બચ્ચનને પણ તેમના કરતા સારા વડાપ્રધાન બનાવી શકાયા હોત. લોકો માટે તો કોઇ કામ તેમને કરવાનું ન હતું. પાંચ વર્ષ ફરી ફિલ્મો જોવાની રહેશે. જો મોદી ફરી વડાપ્રદાન બનશે તો પાંચ વર્ષ સુધી દરરોજ નવી ફિલ્મો ચાલશે.

Share This Article