નરેન્દ્ર મોદીએ છપ્પન ઇંચની છાતીનો ફરી પરિચય આપ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ચુરુ : પુલવામામાં ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધીઓ ટિકા કરી રહ્યા હતા. મોદી છપ્પન ઇંચની છાતી કેમ દર્શાવતા નથી તેને લઇને પ્રશ્નો થઇ રહ્યા હતા પરંતુ આજે મોદીએ જે કહ્યું હતું તે કરી બતાવી પોતાની છપ્પન ઇંચની છાતી હોવાનો સંકેત ફરી આપ્યો હતો. મોદીએ થોડાક દિવસ પહેલા જ કહ્યું હતું કે, ત્રાસવાદીઓએ ખુબ મોટી ભુલ કરી દીધી છે જેના માટે તેમને ખુબ મોટી કિંમત ચુકવવી પડશે. શહીદ જવાનોનું બલિદાન વ્યર્થ જશે નહીં.

પાકિસ્તાન સાથે હિસાબ બરોબર કરવામાં આવશે.  આ શબ્દો મોદીએ આખરે પાળી બતાવ્યા છે. આજે મોટાભાગના લોકોમાં મોદીની પ્રશંસા થઇ રહી હતી. સાથે સાથે સુરક્ષા દળના જવાનો પણ કહી રહ્યા હતા કે, મોદી જ આ સાહસી નિર્ણય કરી શકે છે. આખરે મોદીએ છપ્પન ઇંચની છાતીનો પરિચય દુશ્મનોને પણ કરાવ્યો હતો અને દુશ્મન દેશમાં ઘુસીને ભારતીય હવાઈ દળે જારદાર હુમલા કર્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતાઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, મોદી જે કહે છે તે કરે છે. દેશના લોકોને પણ આને લઇને સંપૂર્ણપણે વિશ્વાસ છે અને આ વિશ્વાસ ફરી સાબિત થયો છે.

Share This Article