જામનગર: ભારત આજે વૈશ્વિક ઊર્જા સપ્લાય ચેઇનમાં વિશ્વસનીય ભાગીદાર તરીકે પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે. નરેન્દ્ર મોદીના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ દેશ ઊર્જા સુરક્ષા અને સપ્લાય ચેઇનની સતતતા સુનિશ્ચિત કરવા માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઝડપી લોજિસ્ટિક્સ સિસ્ટમ વિકસાવી રહ્યો છે.
આ જ દિશામાં એક મહત્વપૂર્ણ વિકાસરૂપે જામનગર નજીક આવેલા વાડીનાર પોર્ટ ખાતે એમટી નંદા દેવી નામનું Mother Vessel 46,500 મેટ્રિક ટન Liquefied Petroleum Gas (LPG) લઈને સફળતાપૂર્વક પહોંચ્યું છે. જહાજ વાડીનાર નજીકના એન્કરેજ પર પહોંચ્યા બાદ LPGનું Ship-to-Ship (STS) ટ્રાન્સફર ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા હેઠળ LPGનો જથ્થો MT BW Birch નામના જહાજમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે.
Ship-to-Ship ટ્રાન્સફર જેવી આધુનિક દરિયાઈ પ્રક્રિયાઓ મોટા જહાજોમાંથી ઊર્જા માલને અન્ય જહાજોમાં ઝડપથી અને સુરક્ષિત રીતે પરિવહન કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા બંદર પરનું દબાણ ઓછું થાય છે, સમય અને ખર્ચમાં બચત થાય છે અને સમગ્ર સપ્લાય ચેઇન વધુ કાર્યક્ષમ બને છે.
આ કામગીરીનું સંચાલન Deendayal Port Authority દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે ભારતના બંદરોની આધુનિક ક્ષમતાઓ, ઉચ્ચ સ્તરની સલામતી વ્યવસ્થાઓ અને વૈશ્વિક ધોરણોને અનુરૂપ કામગીરીને દર્શાવે છે.
આ પ્રસંગે સુશીલ સિંહે Mother Vessel MT Nanda Deviની મુલાકાત લીધી હતી. તેમણે જહાજના કેપ્ટન અને ક્રૂ સાથે ચર્ચા કરીને STS ઓપરેશનની તૈયારીઓ, સલામતી માપદંડો અને કામગીરીની સમીક્ષા કરી હતી. તેમની હાજરીથી સમગ્ર કામગીરીને પ્રોત્સાહન મળ્યું અને અધિકારીઓને માર્ગદર્શન પ્રાપ્ત થયું.
આ પ્રકારની કામગીરીઓ ‘આત્મનિર્ભર ભારત’ અને‘ગતિ શક્તિ’ જેવા રાષ્ટ્રીય વિઝનને મજબૂત બનાવે છે. ભારતના બંદરો દ્વારા આવી કાર્યક્ષમતાનું સતત પ્રદર્શન દેશની ઊર્જા સુરક્ષા, આર્થિક વિકાસ અને વૈશ્વિક પ્રતિષ્ઠાને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ રહ્યું છે.
“ભારત હવે માત્ર ઊર્જાનો વપરાશકર્તા નથી, પરંતુ વૈશ્વિક ઊર્જા સપ્લાય ચેઇનનો વિશ્વસનીય અને સશક્ત સ્તંભ બની રહ્યો છે.”
