દિલ્હીમાં રંગના કારખાનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ગઈકાલે દિલ્હીમાં એક પેઈંટની ફેક્ટરીમાં આગ લાગી હતી અને પ્રાપ્ત અહેવાલો અનુસાર આ કરુણ ઘટનામાં ૧૧ લોકોનાં મોત થયા છે. દિલ્હીમાં રંગનાં કારખાનામાં અને ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને ૧૧ લોકોનાં અત્યંત કરુણ મોત નિપજયા હતા અને ૪ થી વધુ લોકો ઘાયલ થયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 1,65,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે. માર્યા ગયેલા લોકોની વિગતો મેળવવામાં આવી રહી છે અને દિલ્હીના રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Share This Article