ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

પ્રાપ્ત વિગતો અનુસાર ઈન્ડોનેશિયાના ઉત્તરીય ભાગ સુમાત્રામાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું અને તેને કારણે જાનમાલની ભારે ખુવારી થઈ છે. મળતી માહિતી મુજબ પૂર પ્રકોપને લીધે ૮૦ હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને ૨૬ લોકોનાં મોત થયાં છે.

morari

 પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩.૯૦.૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય બાપુની રામકથા આગામી સમયમાં ઈન્ડોનેશિયા ખાતે યોજાવાની છે. રામકથાના જાકાર્તા સ્થિત શ્રોતા દ્વારા સ્થાનિક કરન્સી મુજબ આ રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજી ના ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Share This Article