ભાદરવી પૂનમ ના મેળામાં પ્રતિવર્ષ સેકડો લોકો માઅંબાજીના દર્શન કરવા જતા હોય છે. આ વર્ષે પણ અનેક લોકો માના દર્શન કરવા ગયા છે ત્યારે અરવલ્લીના માલપુર નજીક ગઈકાલે રસ્તે જતા દાહોદ અને પંચમહાલ જિલ્લાના પદયાત્રીઓને એક ઇનોવા ગાડીએ હડફેટે લીધા, જેમાં છ પદયાત્રીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ દુઃખદ ઘટનામાં અન્ય યાત્રીઓ ઘાયલ પણ થયા છે. આ ઘટનામાં પ્રાણ ગુમાવનાર છ પદયાત્રીઓને પૂજ્ય મોરારીબાપુ તરફથી શ્રી હનુમાનજી ની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકને રૂપિયા પાંચ હજાર ની સહાય મોકલવામાં આવી રહી છે. કુલ ૩૦ હજાર રૂપિયાની આ રાશિ અમદાવાદ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચતી કરવામાં આવશે. આ ઘટનામાં પ્રાણ ગુમાવનારાઓના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે અને મૃતકના પરિવારજનો તરફ સંવેદના વ્યક્ત કરી છે.
MoRD દ્વારા DDU-GKY અને RSETI ગુજરાતની સમીક્ષા મુલાકાત: ગ્રામીણ યુવાનોના કૌશલ્ય વિકાસને મજબૂતી
24 અને 25 એપ્રિલ 2025 ના રોજ, ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય (MoRD) ની એક સમીક્ષા ટીમે રાજ્યમાં દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય...
Read more