થોડા દિવસો પૂર્વે બોટાદ તેમજ અમદાવાદ જિલ્લાના અમુક ગામોમાં ઝેરી દારૂ કે કેમિકલ પીવાને કારણે 57 જેટલા લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. તે ઉપરાંત અનેક લોકોને અન્ય ઈજા ઓ પણ થઈ હતી. આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકો ના પરિવારજનો માટે બેવડા આઘાતને સહન કરવાની સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ઘરની મહત્વની વ્યક્તિનું મૃત્યુ થયું અને બીજી તરફ તેને કારણે આર્થિક નુકસાન પણ થયું.
વ્યસનને કારણે જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા તે ઘટના નિંદનીય છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ બને તે વખોડવાને પાત્ર જ છે પરંતુ પરિવાર ની કોઈ વ્યક્તિની ભૂલને લીધે તેમના પરિવારજનો શો વાંક ? આથી મોરારિબાપુએ લઠ્ઠાકાંડની ઘટના માં માર્યા ગયેલાઓના પરિજનો તરફ સંવેદના વ્યક્ત કરી છે અને પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂપિયા 5000 ની તત્કાલ સહાયતા પહોંચાડી દેવા જણાવ્યું છે. બે લાખ પચાસ હજારથી વધુ રકમની સહાય શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા રુબરુ જઈ પહોચતી કરવામાં આવશે. પુજ્ય મોરારિબાપુ એ પુન: એક વખત ફરી આ કરુણ ઘટનાને કારણે જે પરિવારો નિ: સહાય બન્યા છે તેમનાં પરત્વે વિશેષ સંવેદના વ્યક્ત કરી છે.
સક્ષમ 2024-25 : અમદાવાદ ખાતે 14થી 28 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહેલ રાષ્ટ્રવ્યાપી ઇંધણ સંરક્ષણ પહેલ
સક્ષમ (સંરક્ષણ ક્ષમતા મહોત્સવ) એ મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ & નેચલર ગેસના માર્ગદર્શન હેઠળ તેલ અને ગેસ જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા...
Read more