T20 વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમને મોરારી બાપુએ શુભેચ્છાઓ પાઠવી

Rudra
By Rudra 1 Min Read

ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતુ. આમ સતત બીજીવાર ટી20 વર્લ્ડ કપ જીતનાર પહેલી ટીમ બની ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત મેળવી દેશનું ગૌરવ વધાર્યું છે. આ જીત બદલ પ્રખ્યાત કથાકાર મોરારી બાપુએ ભારતીય ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.

પરમ પૂજ્ય મોરારી બાપૂએ જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને સમગ્ર દેશનું માન વધાર્યું છે. તેમણે વ્યાસપીઠ પરથી ટીમના કોચ, કેપ્ટન, યુવા ખેલાડીઓ તેમજ સમગ્ર ક્રિકેટ જગતને શુભેચ્છાઓ પાઠવી હતી.

બાપૂએ પોતાના સંદેશમાં કહ્યું કે વ્યાસપીઠ કોણ જીત્યું અને કોણ હાર્યું તેની નોંધ લેતી નથી, પરંતુ આ મેચમાં ક્રિકેટની જીત થઈ છે એ ચોક્કસ છે. તેમણે કહ્યું કે કોઈએ નિરાશ થવાની જરૂર નથી અને ભારતીય તરીકે દરેકને આ જીત પર ગર્વ અને આનંદ અનુભવવો જોઈએ.

Share This Article