“મા દારૂ પીતી અને બાપ લફરેબાજ હતો,” વાયરલ ગર્લ મોનાલિસાએ જણાવી પરિવારના કાળી હકીકત

Rudra
By Rudra 2 Min Read

ઇન્ટરનેટ પર ચર્ચામાં આવેલી અને તાજેતરમાં ફરમાન સાથે નિકાહ કરીને વિવાદમાં આવેલી મોનાલિસાએ હવે પોતાના પરિવાર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. એક તરફ તેમની લગ્નને લઈને ‘લવ જિહાદ’ જેવા આરોપો લાગી રહ્યા હતા, તો બીજી તરફ તેમના પરિવારની ભાવનાત્મક અપીલે લોકોની સહાનુભૂતિ મેળવી હતી. પરંતુ હવે મોનાલિસાએ કેમેરા સામે આવીને જે દાવા કર્યા છે, તે સાંભળીને દરેક ચોંકી ગયા છે. મોનાલિસાનું કહેવું છે કે તેમના પરિવારનું આ ઇમોશનલ ડ્રામા માત્ર નાટક છે, તેની પાછળ લોભ અને કડવું સત્ય છુપાયેલું છે.

બાળપણના દુઃખદ અનુભવોનો ખુલાસો

મીડિયા સાથે વાતચીત દરમિયાન મોનાલિસા ખૂબ ભાવુક દેખાઈ. તેણે પોતાના માતા-પિતાને લઈને ગંભીર આરોપો લગાવતાં કહ્યું કે તેને ક્યારેય માતાનો સાચો પ્રેમ મળ્યો નથી, કારણ કે તેમની માતા દારૂની લતની શિકાર હતી. પિતાને લઈને તેમણે દાવો કર્યો કે તેમના ઘણા મહિલાઓ સાથે અનૈતિક સંબંધ હતા અને તેઓ અય્યાશ સ્વભાવના હતા. મોનાલિસાના જણાવ્યા મુજબ, તેમના પિતાએ તેને ત્યા સુધી પોતાની દીકરી માની જ નહોતી, જ્યાં સુધી તે પ્રયાગરાજમાં વાયરલ થઈને ફેમસ ન થઈ ગઈ. જેવી તેના નામ સાથે પૈસા અને પ્રસિદ્ધિ જોડાઈ, એની સાથે જ પિતાએ તેને પોતાની લાડકી કહેવા લાગ્યા.

મોનાલિસાએ એક હૃદય કંપાવી દેનારી ઘટના પણ શેર કરી. તેણે જણાવ્યું કે બાળપણમાં જ્યારે તેને સાપે ડંખ માર્યો હતો, ત્યારે તેમના પરિવારજનોએ સારવાર કરાવવાના બદલે તેને મરવા માટે છોડી દીધા હતી. તેણે પોતાના ભાઈ-બહેનોની સંભાળ જાતે જ લીધી, જ્યારે તેના માતા-પિતા માત્ર પૈસામાં જ રસ ધરાવતા હતા.

ફિલ્મ મેકર સનોજ મિશ્રા પર ગંભીર આરોપો લગાવ્યા

મોનાલિસાએ માત્ર પરિવાર જ નહીં, પણ ફિલ્મ મેકર સનોજ મિશ્રા પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે શૂટિંગ દરમિયાન તેને માનસિક રીતે હેરાન કરવામાં આવી અને આરામ પણ કરવા દેવામાં આવ્યો નહોતો. મોનાલિસાએ સનોજ મિશ્રાના ધાર્મિક વલણ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, “સનોજ પોતાને હિંદુ બતાવવાનુો ઢોંગ કરે છે, પરંતુ મેં ક્યારેય તેમના મોઢેથી ‘રામ’ કે ‘કાન્હા’નું નામ સાંભળ્યું નથી, તેઓ તો ફક્ત ‘અલ્લાહ-અલ્લાહ’ જ કરતા રહે છે.”

Share This Article