નવી દિલ્હી : બજેટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના મુખ્ય અર્થશા†ીઓ અને નિષ્ણાંતો સાથે આર્થિક Âસ્થતિ ઉપર ચર્ચા કરી હતી. આ બેઠકમાં રોજગાર સહિતના મુદ્દા પર ચર્ચા વિચારણ કરવામાં આવી હતી. દેશના વિકાસને ગતિ આપવા માટે અને રોજગાર વધારવા માટે આર્થિકનિતીની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આર્થિકનિતી હવે ખુબ મહત્વપૂર્ણ રહેશે. નિષ્ણાંતોના પાંચ ગ્રુપમાં અર્થવ્યવસ્થા, રોજગાર, કૃષિ, જળસંસાધન, નિકાસ, શિક્ષણ અને આરોગ્યના મુદ્દા પર ચર્ચા થઈ હતી. હાલમાં લોકસભાનુ સત્ર ચાલી રહ્યુ છે. આ સત્ર ૨૬મી જુલાઈના દિવસે પૂર્ણ થશે. સત્રના પ્રથમ બે દિવસ દરમિયાન નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધી થઈ છે. જ્યારે ૧૯મી જુનના દિવસે લોકસભા અધ્યક્ષની ચૂંટણી થઈ હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૨૦મી જુનના દિવસે ગુરુવારના દિવસે સંસદના સેન્ટ્રલ હોલમાં સંસદના બન્ને ગૃહોને સંબોધન કર્યુ.
હવે ચોથી જુલાઈના દિવસે આર્થિક સર્વે રજુ કરવામાં આવશે. જ્યારે ૨૦૧૯-૨૦ માટે કેન્દ્રિય બજેટ લોકસભામાં સવારે ૧૧ વાગ્યે રજુ કરવામાં આવશે. લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન કુલ ૩૦ બેઠક યોજાશે. નવી સરકારના પ્રથમ બજેટમાં કેવા પગલા આવશે તેને લઈને સામાન્ય લોકોમાં ચર્ચા છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મોદીની આંધી વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતિ મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ૩૦૩ સીટો જીતી લીધી હતી.
જ્યારે કોંગ્રેસ પાર્ટીને માત્ર ૫૨ સીટો મળી હતી. બજેટ સત્ર દરમિયાન લોકસભામાં પાંચમી જુલાઈના દિવસે નવા નાણાંમંત્રી નિર્મલા સીતારામન વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું સંપૂર્ણ બજેટ રજુ કરશે. મોદી સરકારનું આ પ્રથમ બજેટ રહેશે. સામાન્ય ચૂંટણીના અનુસંધાનમાં તત્કાલિન નાણામંત્રી ગોયેલે બજેટ રજુ કર્યું હતું.