નવી દિલ્હી: કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દિલ્હીના રામલીલા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. સાથે સાથે મહાગઠબંધનને મજબૂત કરવાની અપીલ કરી હતી. શÂક્ત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષોએ ભારત બંધના ભાગરુપે શÂક્ત પ્રદર્શન કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસને સારીરીતે માહિતી છે કે, તે એકલા હાથે ભાજપને ટક્કર આપવાની સ્થિતિમાં નથી. આજ કારણસર મહાગઠબંધન મારફતે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીએ રામલીલા મેદાનમાં આયોજિત ધરણામાં ફરીએકવાર ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, મોદી જ્યાં જાય છે ત્યાં લોકોને વિભાજિત કરે છે. પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર મોદી કોઇ નિવેદન કરતા નથી. બે કરોડ લોકોને રોજગારીની વાત કરી હતી. ગેસ સિલિન્ડરનો ભાવ ૮૦૦ રૂપિયા સુધી છે. દેશના લોકો જે સાંભળવા માંગે છે તે અંગે મોદી કોઇ નિવેદન કરતા નથી. રાહુલે ઉમેર્યું હતું કે, ખેડૂતો અને મજુરોને રસ્તા દેખાઈ રહ્યા નથી. ખેડૂતોની દેવા માફી થઇ રહી નથી. સંસદમાં રાફેલ ડીલને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા છે. નોટબંધીના પરિણામ સ્વરુપે નાના રોજગારો અને દુકાનદારો નષ્ટ થઇ ચુક્યા છે. તમામ લોકોના કાળા નાણા સફેદ થઇ ચુક્યા છે. નોટબંધીના કારણે કોઇ અસર થઇ નથી.
જીએસટી ઉપર ભાજપને ટાર્ગેટ કરતા તેમણે કહ્યું હતું કે, વિચારધારા એક ટેક્સની રહી હતી પરંતુ પાંચ જુદા જુદા ટેક્સ લાગૂ કરવામાં આવ્યા છે. નાના કારોબારીઓની હાલત કફોડી બનેલી છે. અમે તમામ પક્ષો સાથે મળીને ભાજપને હરાવવા જઇ રહ્યા છીએ. જે દુખ દેશની જનતાના મનમાં છે તે દુખ પણ અમારી સાથે છે. સાથે મળીને અમે ભાજપને હરાવવા માટે ઇચ્છુક છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે રામલીલા મેદાન પર આયોજિત કાર્યક્રમમાં કહ્યું હતું કે, આ સરકાર દરેક મોરચા ઉપર નિષ્ફળ રહી છે. હવે સમય આવી ગયો છે કે, મતભેદ ભુલાવીને તમામ પક્ષો સાથે આવે. સરકાર બદલવાનો સમય આવી ગયો છે. મનમોહનસિંહે કહ્યું હતું કે, આ સરકારના ગાળામાં ખેડૂતો, નાના વેપારીઓ પરેશાન છે. યુવાનોને રોજગારી મળી રહી નથી. મોદી સરકારે જે વચન આપ્યા હતા તે પૂર્ણ થઇ રહ્યા નથી. દેશની એકતા અને અખંડતાને જાળવી રાખવા માટે તમામ પગલા લેવાની જરૂર દેખાઈ રહી છે. મોદી સરકાર એવા પગલા લઇ રહી છે જે દેશના હિતમાં નથી.