નવીદિલ્હી : લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે સતત બીજી વખત કેન્દ્રમાં સત્તામાં આવેલા નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પણ આશીર્વાદ લીધા હતા. પ્રણવ મુખર્જીએ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને પોતાના હાથથી મિઠાઇ ખવડાવી હતી. મુલાકાતના ફોટાઓ જારી કરતાટ્વિટર ઉપર મોદીએ લખ્યું છે કે, તેઓએ પ્રણવદાના આશીર્વાદ લીધા છે. પ્રણવદાની મુલાકાત હંમેશા અનુભવ વધારનાર હોય છે. તેમના જ્ઞાન અને સમજની બીજી કોઇપણ મિશાલ દેખાતી નથી. જવાબમાં પ્રણવદાએ ટ્વીટ કરીને કહ્યું છે કે બીજી ઇનિંગ્સ માટે તેઓ શુબેચ્છા પાઠવે છે. મોદી ગુરુવારના દિવસે વડાપ્રધાન તરીકે શપથ લેશે. જીત બાદ તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જાશીના આશીર્વાદ પણ લઇ ચુક્યા છે.
હાથરસ નાસભાગ કેસઃ ન્યાયિક તપાસના અહેવાલમાં નારાયણ સરકાર હરિને ક્લીન ચિટ
તારીખ 2 જુલાઈ, 2024 ના રોજ ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી નાસભાગની ઘટના મામલે ન્યાયિક તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવામાં...
Read more