લગ્ન પહેલા વધી મિથુનના દિકરાની મુશ્કેલી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મિથુન ચક્રવતીના દિકરા મહાક્ષયના લગ્ન 7મી જુલાઇએ છે. ત્યારે ચક્રવર્તી પરિવારની મુશ્કેલીમાં થયો છે વધારો, કારણકે મિથુનના દિકરા મહાક્ષય ઉપર બળાત્કારનો કેસ ચાલી રહ્યો છે. સાથે જ મિથુનની પત્ની અને મહાક્ષયની માતા યોગીતા બાલીનુ નામ પણ આ કેસમાં સામેલ થયુ છે. લગ્ન માટે મહાક્ષય અને યોગીતા બાલીએ મુંબઇ હાઇકોર્ટમાં પહેલાથી જ જમાનત માટે અરજી કરી હતી. જે મુંબઇ હાઇકોર્ટે સ્વીકારી નથી અને રદ્દ કરવામાં આવી છે.

ભોજપૂરી એક્ટ્રેસ દ્વારા મહાક્ષય અને યોગીતા બાલી ઉપર ગર્ભપાત અને બળાત્કારનો કેસ થયા બાદ બંનેને પોલીસ ધરપકડની બીક હતી. જેથી યોગીતા અને મહાક્ષયે મુંબઇની હાઇકોર્ટમાં અરજી કરી હતી કે તેમને લગ્ન પહેલા એરેસ્ટ ના કરવામાં આવે અને પહેલા જ જમાનત આપી દેવામાં આવે. જેને મુંબઇ હાઇકોર્ટે ફગાવી દીધી છે.

હવે આગળ શુ કાનૂની કાર્યવાહી થશે તે હજૂ સુધી સામે આવ્યુ નથી. મહાક્ષય અને યોગીતાની ધરપકડ થશે કે લગ્ન કેન્સલ થશે તે વિષે હાલમાં કંઇ પણ કહેવુ મુશ્કેલ છે.

Share This Article