ગાંધીનગર : રાજ્યના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે આગાહી કરવામાં આવી છે જેમાં, ગાજવીજ સાથેના હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. આ આગાહી ૩ કલાક માટેની છે. એટલે કે બપોરે ૪ થી સાંજે ૭ વાગ્યા દરમિયાન વરસાદની સંભાવના છે.
આજે તા. ૩૦ મે ૨૦૨૫ના રોજ મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને ૩૧ મેના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયો વરસાદ વરસી શકે છે.
ગઈકાલે સવારથી રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે અનેક તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. આજે ૩૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ આહવામાં ૨૩ મિ.મી. અને ઝગડિયામાં ૨૨ મિ.મી વરસાદ વરસ્યો છે. ગત ૨૪ કલાકમાં ૮૯ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં મોડાસામાં ૨.૪ ઇંચ અને સરસ્વતીમાં ૨.૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે બહાર પાડેલા વેધર બુલેટિનમાં જણાવ્યું છેકે, આગામી ત્રણ કલાક દરમિયાન ડાંગ, તાપી, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. તેમજ અમુક વિસ્તારોમાં વીજળી પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.