અમદાવાદ : ભારતમાં ગોલ્ડ ફાઇનાન્સ વ્યવસાયમાં મોટી એનબીએફસી કંપનીઓમાં મન્નાપુરમ ફાઇનાન્સ લિમિટેડ દ્વારાતા.૨૪ ઓકટોબરના રોજ રૂ.૧૦,૦૦૦ મિલિયન(શેલ્ફ લિમિટ) સુધીની કુલ રકમનો સીકયોર્ડ, રીડિમેબલ, નોન કન્વર્ટીબલ ડિબેન્ચર્સનો ટ્રેન્ચ ૧ ઇશ્યુ રજૂ કર્યો છે. જેમાં દરેક ડિબેન્ચરની ફેસ વેલ્યુ રૂ.૧૦૦૦ છે. એનસીડી ટ્રેન્ચ ઇશ્યુની સાઇઝ રૂ.૨૦૦૦ મિલિયન છે. આ ઇશ્યુ તા.૨૨ નવેમ્બરના રોજ બંધ થશે. મન્નાપુર ફાઇનાન્સ લિમિટેડ દ્વારા આ એનસીડી ઇશ્યુમાં ૧૦.૪૦ ટકા સુધીના આકર્ષક વ્યાજદર રહેશે. ઇશ્યુની ફાળવણી વહેલા તે પહેલાના ધોરણે રહેશે અને તેનું લીસ્ટીંગ બીએસઇ પર થશે એમ અત્રે મન્નાપુર ફાઇનાન્સ લિ.ના એમડી-સીઇઓ વી.પી.નંદાકુમાર અને રાજુ નારાયણાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મન્નાપુરમ ફાઇનાન્સ લિ. કંપની ઘરગથ્થું અથવા ઉપયોગ થતી ગોલ્ડ જવેલરીના ગીરોખત સામે લોન પ્રદાન કરે છે. જેમાં મુખ્યત્વે રિટેલ ગ્રાહકોને શોર્ટ-ટર્મ પર્સનલ લોન અને બિઝનેસ ગોલ્ડ લોન આપે છે.
કંપનીએ તા.૨૪ ઓક્ટોબર, ૨૦૧૮નાં રોજ રૂ. ૧૦,૦૦૦ મિલિયન (શેલ્ફ લિમિર્) સુધીની કુલ રકમનો સીક્યોર્ડ, રીડિમેબલ, નોન- કન્વર્ટિબલ ડિબેન્ચર્સનો ટ્રેન્ચ ૧ ઇશ્યૂ પ્રસ્તુત કરવાની દરખાસ્ત મૂકી છે, જેમાં દરેક ડિબેન્ચરની ફેસ વેલ્યુ રૂ. ૧,૦૦૦ છે. એનસીડી ટ્રેન્ચ ૧ ઇશ્યૂની બેઝ ઇશ્યૂની સાઇઝ રૂ. ૨,૦૦૦ મિલિયન છે, જેમાં શેલ્ફ લિમિટ સુધી રૂ. ૮,૦૦૦ મિલિયન સુધીનું ઓવરસબસ્ક્રિપ્શન જાળવવાનો વિકલ્પ છે. ટ્રેન્ચ ૧નાં સંબંધમાં ઇશ્યૂ થયેલ એનસીડીસને રૂ. ૧૦,૦૦૦ મિલિયન સુધીની રકમ માટે કેર રેટિંગ્સ લિમિટેડ (કેર)એ તા.૨૦ ઓગસ્ટ, ૨૦૧૮નાં રોજ કેર એએ-સ્ટેબલ રેટિંગ આપ્યું છે, તો બ્રિકવર્ક રેટિંગ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (બ્રિકવર્ક)એ રૂ. ૧૦,૦૦૦ મિલિયન સુધીની રકમ માટે તા.૨૯ ઓગસ્ટ, ૨૦૧૮નાં રોજ બીડબલ્યુઆર એએપ્લસ-સ્ટેબલ રેટિંગ આપ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, કેર અને બ્રિકવર્ક દ્વારા એનસીડીસનું રેટિંગ નાણાકીય જવાબદારીઓ સમયસર અદા કરવા સાથે સંબંધિત ઊંચી સલામતીનો સંકેત આપે છે. એનસીડીસ પર તમામ સીરિઝમાં અરજી કરવાની લઘુતમ રકમ રૂ. ૧૦,૦૦૦ છે અને લઘુતમ અરજી પછી રૂ. ૧૦૦૦ની ફેસ વેલ્યુ ધરાવતાં એક (૧) એનસીડીનાં ગુણાંકમાં થશે. જેની ફાળવણી વહેલા-એ-પહેલાનાં-ધોરણે થશે. એનસીડીનું લિસ્ટિંગ બીએસઈ લિમિટેડ (બીએસઈ) પર થશે. ટ્રેન્ચ ૧ ઇશ્યૂનાં લીડ મેનેજર્સ એ કે કેપિટલ સર્વિસીસ લિમિટેડ અને એડલવાઇસ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ છે. ઇશ્યુના માળખા દરમ્યાન ૯.૭૦ ટકાથી ૧૦.૪૦ ટકા સુધીના આકર્ષક વ્યાજની જાહેરાત તેમણે કરી હતી.