“માં કો ગોદ લેના હૈ” અભિયાનની મહાયાત્રા ભારત ભ્રમણ કરશે, ગાય સંરક્ષણ માટે આહ્વાન – જગતગુરુ જી  શ્રી શ્રી સંતોષી બાબા

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

માં કો ગોદ લેના હૈ અભિયાન સાથે 18મી ફેબ્રુઆરીના રોજ સોનીપત (હરિયાણા)થી જગતગુરુજી શ્રી શ્રી સંતોષી બાબાના સાનિધ્યમાં શરૂ થયેલી મહાયાત્રાના આગમન પ્રસંગે અગ્રણી સમાજ સેવકો, ગાય ભક્તો, વિવિધ ગૌશાળાઓ અને અગ્રવાલ સમાજની વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ આ એ જિલ્લા પરિષદ બહાર અભિવાદન કર્યું.

માતા ગાયની રક્ષાના હેતુથી 18 ફેબ્રુઆરીએ સોનીપતથી શરૂ થયેલી આ યાત્રા હરિયાણા અને રાજસ્થાનના અલગ-અલગ સ્થળોથી થઈને વડોદરા, ગુજરાત ખાતે  પહોંચી હતી. આ મહાયાત્રા લગભગ એક મહિના સુધી હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના અનેક શહેરોની મુલાકાત લઈને 27000 કિલોમીટરનું અંતર કાપશે અને પ્રવાસનો બાકીનો પ્રથમ તબક્કો વૃંદાવનમાં રહેશે.

આ પ્રસંગે જગતગુરુજી શ્રી શ્રી સંતોષી બાબાજીએ કહ્યું કે જ્યાં સુધી આપણે આ દુનિયામાં જીવીએ છીએ ત્યાં સુધી આપણને માતા ગાયનું દૂધ, દહીં, ઘી, માખણ વગેરે મળતા રહે છે.પરંતુ ખુબ જ દુ:ખની વાત છે કે આપણને જન્મ આપનાર આપણી માતા કરતાં પણ શ્રેષ્ઠ એવી માતા ગાયની દુર્દશા આજે થઈ રહી છે. ભૂખી ગૌમાતા કચરો અને પ્લાસ્ટિક ખાઈ રહી છે, બીમાર છે, ભૂખી છે અને તરસેલી છે, તેઓ યાતનામાં છે પણ આપણે તેના પર ધ્યાન આપતા નથી. તેમણે અનુરોધ કર્યો હતો કે સફળ જીવન, સ્વસ્થ જીવન જીવવા માટે ગાયની સેવા જરૂરી છે. સવારે ઉઠ્યા પછી સૌ પ્રથમ ગાય માતાનું સ્મરણ કરીને તેમને પ્રણામ કરીએ, તેમની આરતી કરીએ, પ્રાર્થના કરીએ અને જમતા પહેલા રોટલી ગૌ માતાની નીકાળીએ , જો આપણે રોજ ગાય માતાના નામે  એક રોટલી કાઢીશું અને તેને માતા ગાયને અર્પણ કરીશું તો આપણે જોઈશું કે આપણા જીવનમાં કેવો મોટો બદલાવ આવશે. આ માત્ર કલ્પના જ નથી, પણ પ્રાચીન સમયથી તેનો ઉપયોગ ઋષિમુનિઓ કરતા આવ્યા છે. જગતગુરુ શ્રી શ્રી સંતોષી બાબાજીએ આપણને સૌને સંકલ્પ લેવા આહ્વાન કર્યું કે જમતા પહેલા ગાય માતાના નામે એક રોટલી કાઢો અને સૂતા પહેલા માતા ગાયના નામે એક ઈંટ કાઢી લો અને આ રોટલી આપણા દ્વારા આપવામાં ગાય માતાનો ચારો બનશે અને આપેલી ઈંટ માતાનો આશ્રય બનશે.

આ મહાયાત્રામાં શ્રી શ્રી સંતોષી બાબાજીની સાથે અનેક સંતો અને ગાય ભક્તો અને બાબાજીના અનુયાયીઓનો કાફલો પણ સાથે જોડાયો હતો. આ યાત્રા 23-24 ફેબ્રુઆરીએ ગુજરાત ખાતે પહોંચી હતી અને ત્યાંથી યાત્રા મહારાષ્ટ્ર  અને મધ્યપ્રદેશ થઈને વૃંદાવન પહોંચી હતી. તો આવો આપણે સૌ ગૌ સ્વ પ્રત્યે આ યાત્રાના સહભાગી બનીને જાગૃતતા ફેલાવીએ.

ફેસબૂક લિંક- https://www.facebook.com/jagatguruji1008?mibextid=LQQJ4d

Share This Article