મહારાષ્ટ્રમાં આગામી ચુંટણી પહેલા શિદે ફડનવીસ સરકારે હિન્દુત્વ કાર્ય ખેલ્યું છે.મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે નાસિકમાં ગોદાવરી નદીના કિનારે હવે દરરોજ મહાઆરતી હશે.બનારસ,અયોધ્યાની જેમ ગોદાવરી નદીના કિનારે દરરોજ સાંજે સાત વાગે મહાઆરી કરવામાં આવશે ગોદાવરી નદીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે. કેન્દ્ર સરકારે ગોદાવરી નદીના કિનારાના જીર્ણોધ્યાર માટે પાંચ કરોડ રૂપિયાની રકમ મંજુર કરી છે.મહાઆરતી માટે ૧૧ પુજારીઓની નિયુક્તિ કરવામાં આવશે.રામાયણ કાળમાં ભગવાન રામ વનવાસ દરમિયાન નાસિકમાં રોકાયા હતાં કુંભ મેળાનું આયોજન પણ નાસિકમાં થાય છે. એ યાદ રહે કે શિવસેના બે જુથોમાં વિભાજીત થઇ ગઇ છે.શિવસેનાના એક જુથનું સુકાન મુખ્યમંત્રી એકનાથ શિંદેના હાથમાં છે તો શિવસેનાના બીજા જુથનું સુકાન ઉદ્વવ ઠાકરેની હાથમાં છે.બંન્ને જ શિવસેના પર પોત પોતાનો દાવો કરી રહ્યાં છે.શિદે અને તેમના સમર્થક ધારાસભ્યોના બળવા બાદ ઉદ્વવ ઠાકરેની સરકાર તુટી પડી હતી ત્યારબાદ શિંદેએ ભાજપની સાથે મળી મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી
અમદાવાદ : 614 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાશે નગર દેવી ભદ્રકાળીની નગરયાત્રા, અહીં વાંચો સંપૂર્ણ કાર્યક્રમ
અમદાવાદ: 26 ફેબ્રુઆરી 2025 ના રોજ એક ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવા માટે તૈયાર છે, જે શહેરના નગર દેવી ભદ્રકાળી માતાના...
Read more