મહાલક્ષ્મી રાજયોગ: પંચાંગ અનુસાર 16 માર્ચ 2026ના રોજ એક ખાસ જ્યોતિષીય સંયોગ બનવા જઈ રહ્યો છે. જેને મહાલક્ષ્મી રાજયોગ કહેવામાં આવે છે. આ યોગ મંગળ અને ચંદ્ર એક સાથે આવવાથી બનશે. જ્યોતિષમાં મંગળને ઊર્જા અને ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે, એવામાં આ બંનેનું સંતુલન ધન, સુખ-સુવિધા અને વિકાસનો સંકેત આપે છે. આ યોગની અસર તમામ રાશિઓ પર પડશે, પરંતુ કેટલીક રાશિઓ માટે આ સમય વધુ ફાયદાકારક માનવામાં આવી રહ્યો છે.
વૈદિક જ્યોતિષ અનુસાર, જ્યારે મંગળની દ્રષ્ટિ ચંદ્ર પર પડે છે અથવા બંને ગ્રહ કેન્દ્ર કે ત્રિકોણ ભાવમાં મજબૂત સ્થિતિમાં હોય છે, ત્યારે આ યોગ બને છે. ઘણી વાર આ બંને યુતિ પણ મહાલક્ષ્મી યોગ બનાવે છે. આ દરમિયાન અચાનક ધન લાભ, કરિયરમાં ઉન્નતિ અને નવી તક મળવાની સંભાવના રહે છે.
વૃષભ: વૃષભ રાશિના લોકો માટે આ યોગ કરિયર અને ધનના મામલે સારા સંકેત આપી રહ્યો છે. અચાનક ફાયદો થઈ શકે છે. ખાસ કરીને રોકાણ કે પૈતૃક સંપત્તિ સંબંધિત મામલાઓમાં. જો નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો સમય તમારા પક્ષે રહી શકે છે. પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે અને સુવિધા વધશે.
મિથુન: મિથુન રાશિના લોકો માટે આ યોગ ભાગ્યને મજબૂત કરનાર માનવામાં આવી રહ્યો છે. નવી તક મળી શકે છે અને કામમાં વિસ્તારના યોગ બની રહ્યાં છે. પાર્ટનરશિપમાં ફાયદો થશે અને આવકના નવા રસ્તા ખુલી શકે છે. નોકરી બદલવાનું વિચારી રહેલા લોકોને વધુ સારો વિકલ્પ મળી શકે છે. સાથે જ યાત્રાના પણ સંકેત છે. જે આગળ જઈને લાભ આપી શકે છે.
મકર: મકર રાશિના જાતકો માટે આ સમય આર્થિક રીતે મજબૂત સાબિત થઈ શકે છે. અટકેલા રૂપિયા પાછા મળવાનો યોગ છે અને કામ સંબંધિત જવાબદારીઓ વધી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે નવી ભૂમિકા મળી શકે છે. જ્યારે વેપારમાં પણ નવી તકો સામે આવી શકે છે. તમારી વાતોની અસર લોકો પર વધુ જોવા મળશે.
