મહાશિવરાત્રિ 2026 પૂજા વિધિ: દર વર્ષે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના દિવસે મહાશિવરાત્રિનો પાવન પર્વ ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિ માત્ર વ્રત નથી, પરંતુ મહાદેવ અને માતા પાર્વતીના દિવ્ય મિલનનો મહોત્સવ છે. આ વર્ષે મહાશિવરાત્રિ 15 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. આ દિવસે ભક્તો ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના કરે છે તેમજ વ્રત પણ રાખે છે. માન્યતા છે કે આ દિવસે પૂજા કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને વૈવાહિક જીવન સુખમય બને છે.
આ વર્ષની મહાશિવરાત્રિ ખાસ મહત્વની માનવામાં આવી રહી છે. જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ આ વર્ષે મહાશિવરાત્રિ પર અનેક દુર્લભ અને શક્તિશાળી યોગ રચાઈ રહ્યા છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર જલાભિષેક અને રુદ્રાભિષેક ઉપરાંત કેટલીક વિશેષ પૂજન સામગ્રી અર્પણ કરવામાં આવે છે, પરંતુ કેટલીક વસ્તુઓ એવી પણ છે જે શિવપૂજામાં અર્પણ કરવી વર્જિત છે. આવો જાણીએ તે કઈ કઈ છે.
મહાશિવરાત્રિ પર શિવપૂજામાં ન ચઢાવવી જોઈએ એવી વસ્તુઓ
- શિવલિંગની પૂજા સામાન્ય મૂર્તિપૂજા જેવી નથી. મહાદેવની પૂજામાં શંખ વગાડવો કે શંખથી જળ અર્પણ કરવું સંપૂર્ણપણે વર્જિત છે. પૌરાણિક કથાઓ અનુસાર, શંખની ઉત્પત્તિ શંખચૂડ નામના અસુરથી માનવામાં આવે છે, જેનો અંત મહાદેવે કર્યો હતો. તેથી શિવપૂજામાં શંખનો ઉપયોગ કરવામાં આવતો નથી.
- મહાદેવ વૈરાગી સ્વભાવના છે, તેથી શિવલિંગ પર હળદર, કુમકુમ અથવા સિંદૂર ચઢાવવું નહીં. જોકે માતા પાર્વતીની પૂજામાં આ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે.
- ભગવાન શિવને બિલ્વપત્ર (બેલપત્ર) અત્યંત પ્રિય છે, પરંતુ શિવપૂજામાં ક્યારેય કટેલું કે ફાટેલું બેલપત્ર અર્પણ ન કરવું. શાસ્ત્રો મુજબ મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ત્રણ પાંદડાવાળું અખંડિત બેલપત્ર ચઢાવવું જોઈએ.
- શિવજીની પૂજામાં કેટલાક ફૂલો અર્પણ કરવામાં આવતા નથી. કેતકી, કનેર, કમળ અને તુલસીના પાન શિવલિંગ પર ન ચઢાવવા. તેના બદલે બિલિપત્ર, ધતૂરા, ભાંગ અને શમીના પાંદડા અર્પણ કરવા યોગ્ય છે.
- મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર તૂટેલા ચોખા (ખંડિત અક્ષત) અર્પણ ન કરવા. મહાદેવને અર્પણ કરાતા અક્ષત સંપૂર્ણ અને સ્વચ્છ હોવા જોઈએ.