અમદાવાદઃ અગ્રણી રિટેલ એસેટ ફાઈનાન્સ કંપની મેગ્મા ફિનકોર્પ લિમિટેડ દ્વારા ગુજરાત માટેના તેના ગ્રોથ પ્લાનની આજે ઘોષણા કરવામાં આવી હતી. મુંબઈ સ્થિત એનબીએફસી કે જેની ઉપસ્થિતિ રાજ્યમાં છે તે નાણાકીય વર્ષ ૨૦૧૯માં વિસ્તરણની આક્રમક યોજના ધરાવે છે અને તે પ્રોડક્ટ્સ જેમકે યુઝ્ડ એસેટ લોન્સ, ટ્રેક્ટર ફાઈનાન્સ, કમર્શિયલ વ્હીકલ લોન્સ પર લક્ષ આપશે.
મેગ્મા ફિનકોર્પના લિમિટેડના એસેટ ફાઈનાન્સના નેશનલ બિઝનેસ હેડ સંજીવ ઝાએ કહ્યું હતું, ‘અમે રાજ્યમાં ઊંડી ઉપસ્થિતિ અને મજબૂત ગ્રાહક સંબંધોનો આનંદ લઈ રહ્યા છીએ. અમારૂ લક્ષ ગ્રામીણ અને અર્ધશહેરી ગ્રાહકોને સેવા આપવા અંગે છે જેમણે અમને ભૂતકાળમાં ડિવડિન્ડસ આપ્યા છે. અમે છેલ્લા કેટલાક વર્ષમાં પોર્ટફોલિયોમાં સુધારો કરવા લક્ષ આપ્યું છે અને અમે હવે આક્રમક રીતે રાજ્યમાં આગળ વધવા માગીએ છીએ અને અમે યુઝ્ડ એસેટ લોન્સ, ટ્રેક્ટર લોન્સ, કાર અને કમર્શિયલ વ્હીકલ લોન્સ પર નાણાકીય વર્ષ ૨૦૧૯માં અમારા આંકડાઓ વધારવા માટે લક્ષ આપીશું.’
રાજ્યમાં મેગ્મા ૧૨ શાખાઓ ધરાવે છે અને તે નાણાકીય વર્ષ ૨૦૧૯માં અન્ય પાંચ શાખાઓનો ઉમેરો કરશે, જે તેના ગ્રાહકોની આર્થિક આવશ્યકતાઓ માટે સેવા આપવાનો પ્રયાસ હશે. આ શાખાઓ આણંદ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી અને મહેસાણા ખાતે શરૂ કરાશે અને તે ઓક્ટોબર ૨૦૧૮થી કાર્યરત થવાની શક્યતા છે. જે ઉચ્ચસ્તરે નોંધપાત્ર યોગદાન આપશે. કંપનીએ હાલમાં એસેટ ફાઈનાન્સ બિઝનેસમાં ૧૨૦ લોકોનો સ્ટાફ ધરાવે છે જે વિસ્તરિત નેટવર્ક માટે નવા મેનપાવરનો ઉમેરો કરશે.
ઝાએ કહ્યું હતું, ‘અમે હાલના નાણાકીય વર્ષમાં અમારા આંકડાઓ નોંધપાત્ર રીતે વધારવા પ્રયત્નશીલ છીએ અને અમને અમારા બિઝનેસ લક્ષ્યો પૂરા કરવા અંગે વિશ્વાસ છે.’