ધાર્મિક માન્યતાઓ મુજબ સૂર્ય ગ્રહણને અશુભ માનવામાં આવે છે, પરંતુ ખગોળ વિજ્ઞાન મુજબ તે એક દુર્લભ અને મહત્વપૂર્ણ ખગોળીય ઘટના છે. જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવી જાય છે અને સૂર્યની કિરણો પૃથ્વી સુધી પહોંચી શકતા નથી, ત્યારે પૃથ્વી પર ચંદ્રની છાયા પડે છે અને આ સ્થિતિને સૂર્ય ગ્રહણ કહેવાય છે. આ ઘટના હંમેશા અમાસના દિવસે થાય છે.
2026માં લાગી ચૂક્યું એક સૂર્ય ગ્રહણ
વર્ષ 2026માં 17 ફેબ્રુઆરીના રોજ એક સૂર્ય ગ્રહણ લાગી ચૂક્યું છે. આ વર્ષે બીજું સૂર્ય ગ્રહણ 12 ઓગસ્ટ 2026ના રોજ લાગવાનું છે. જોકે ખગોળવિદો અને જ્યોતિષવિદોની નજર હવે 2027ના વર્ષ પર ટકેલી છે.
2027માં લાગશે સદીનું બીજું સૌથી લાંબું સૂર્ય ગ્રહણ
વર્ષ 2027માં 27 ઓગસ્ટના રોજ સદીનું બીજું સૌથી લાંબું સૂર્ય ગ્રહણ લાગશે. આ દરમિયાન સૂર્ય લગભગ 6 મિનિટ 22 સેકન્ડ સુધી સંપૂર્ણ રીતે ચંદ્રથી ઢંકાઈ જશે. આ સમય દરમિયાન દિવસમાં પણ રાત જેવી અંધકારમય સ્થિતિ સર્જાઈ શકે છે. આવો લાંબા સમયનો નજારો ફરી 2114માં જોવા મળશે, એટલે આ ગ્રહણને અત્યંત વિશેષ ખગોળીય ઘટના માનવામાં આવે છે.
શું ભારતમાં દેખાશે આ સૂર્ય ગ્રહણ?
આ સૂર્ય ગ્રહણ ભારતમાં સંપૂર્ણ રીતે નહીં, પરંતુ આંશિક રૂપે જોવા મળશે. જ્યારે સ્પેન, ઇજિપ્ત, સાઉદી અરેબિયા, લિબિયા, ટ્યુનિશિયા, યેમેન, મોરોક્કો, સુદાન, સોમાલિયા, અલ્જીરિયા અને જિબ્રાલ્ટર સહિતના દેશોમાં આ ગ્રહણ સંપૂર્ણ રીતે જોવા મળશે:
2009માં લાગ્યું હતું સદીનું સૌથી લાંબું ગ્રહણ
આ પહેલા 21મી સદીનું સૌથી લાંબું સૂર્ય ગ્રહણ 22 જુલાઈ 2009ના દિવસે જોવા મળ્યું હતું. તે ગ્રહણ લગભગ 6 મિનિટ 39 સેકન્ડ સુધી ચાલ્યું હતું. આથી 2027નું સૂર્ય ગ્રહણ સદીનું બીજું સૌથી લાંબું ગ્રહણ ગણાશે.
