હૈદરાબાદ યુનિવર્સિટીમાં યોજાયેલી PM મોદીની ડોક્યુમેન્ટ્રી પર હંગામો વિષે જાણો..

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ૨૦૦૨ના ગુજરાત રમખાણો અંગેની એક ડોક્યુમેન્ટ્રી BBCએ બહાર પાડી છે. જો કે આ અંગે વિવાદ વધી રહ્યો છે..ભારતથી લઈને બ્રિટન સુધી આ ડોક્યુમેન્ટ્રીને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ સમગ્ર વિવાદમાં અમેરિકાએ પણ એન્ટ્રી મારી છે. અમેરિકાનું કહેવું છે કે બીબીસીની ડોક્યુમેન્ટરીથી અમે વાકેફ નથી, પરંતુ વોશિંગ્ટન અને નવી દિલ્હીને જોડતા “લોકશાહી મૂલ્યો”થી સંપૂર્ણપણે વાકેફ છે. આવો અમે તમને આ વિવાદ સાથે જોડાયેલા ૧૦ મહત્વપૂર્ણ અપડેટ જણાવીએ. ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ નામની સિરીઝ બે ભાગમાં બહાર પાડી છે. બીબીસીનો દાવો છે કે આ શ્રેણી ગુજરાતમાં ૨૦૦૨ના રમખાણોના વિવિધ પાસાઓની શોધ કરે છે. ગુજરાત રમખાણો વખતે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તૃણમૂલ કોંગ્રેસ ના સાંસદો મહુઆ મોઇત્રા અને ડેરેક ઓ’બ્રાયને ગુજરાત રમખાણો અને

 મોદી પરની ડોક્યુમેન્ટરીની ‘લિંક’ ઈન્ટરનેટ પર હિટ થતાં જ ટિ્‌વટર પર શેર કરી. જો કે આ પછી ટિ્‌વટરે તેમનું ટિ્‌વટ હટાવી દીધું હતું. કાયદા મંત્રી કિરેન રિજિજુએ પણ આ વિવાદ પર ટિપ્પણી કરી હતી. તેમણે ટ્‌વીટમાં લખ્યું, “ભારતમાં કેટલાક લોકો હજુ પણ સંસ્થાનવાદી હેંગઓવરમાંથી બહાર આવ્યા નથી. તેઓ બીબીસીને ભારતની સર્વોચ્ચ અદાલતથી ઉપર માને છે. કેરળની શાસક કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી) ની વિદ્યાર્થી પાંખ ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા એ કહ્યું છે કે  ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ દર્શાવવામાં આવશે. DYFI એ તેના ફેસબુક પેજ પર આ જાહેરાત કરી છે.

બે દિવસ પહેલા, યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ કેમ્પસમાં વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી. આ પછી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)એ પોલીસને ફરિયાદ કરી હતી. આ મામલે યુનિવર્સિટીએ કહ્યું કે કેન્દ્રના આદેશના એક દિવસ બાદ વિદ્યાર્થીઓએ બીબીસીની ડોક્યુમેન્ટરી બતાવી. દિલ્હીના જેએનયુ કેમ્પસમાં સ્ક્રીનીંગ પ્રોગ્રામને લગતા પેમ્ફલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સ્ટુડન્ટ્‌સ યુનિયનના પ્રમુખ આઈશી ઘોષે પણ વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીનું પોસ્ટર શેર કર્યું છે. આઈશીની પોસ્ટ વાયરલ થયા બાદ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી પ્રશાસને એડવાઈઝરી જારી કરી હતી. આ પછી અહીં સ્ક્રીનિંગ રદ્દ કરવામાં આવી હતી. બીબીસી ડોક્યુમેન્ટ્રીને લઈને બ્રિટનમાં પણ હોબાળો થયો છે. અહીં એક ઓનલાઈન પિટિશન શરૂ કરવામાં આવી છે. પીટીશનમાં બીબીસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરની વિવાદાસ્પદ દસ્તાવેજી સિરીઝ અંગે જાહેર પ્રસારણકર્તા તરીકેની તેની ફરજના ગંભીર ભંગની સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી છે. યુકેમાં મીડિયા મોનિટરિંગ સંસ્થા ધ ઓફિસ ઓફ કોમ્યુનિકેશન્સ (ઓફકોમ) માટે બીબીસીને જવાબદાર રાખવાની પણ માંગ કરવામાં આવી છે.  હિંદુ ફોરમ ઓફ બ્રિટન એ પણ BBC ને એક પત્ર લખ્યો છે. HFBએ કહ્યું છે કે તે BBCના ‘હિંદુ વિરોધી પક્ષપાત’થી નિરાશ છે. બીબીસી ન્યૂઝના સીઈઓ ડેબોરાહ ટર્નસને લખેલા પત્રમાં એચએફબીએ જણાવ્યું હતું કે, “ભારતઃ મોદી પ્રશ્નનના કંટેન્ટના નિષ્પક્ષ રિપોર્ટિંગનો મુખ્ય ભાગ ખૂટે છે.

મોટી સંખ્યામાં હિન્દુ સમુદાયના લોકોએ અમારો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે બીબીસી પ્રસારિત દસ્તાવેજી આ બતાવવામાં અસંવેદનશીલતા છે.આનાથી બે સમુદાયો વચ્ચે વિવાદ વધી શકે છે.  કેન્દ્ર સરકારે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર અને યુટ્યુબને ડોક્યુમેન્ટરીની લિંકને બ્લોક કરવા માટે સૂચના આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે તેમાં ઉદ્દેશ્યનો અભાવ છે અને તે સંસ્થાનવાદી માનસિકતા દર્શાવે છે. જો કે, કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ જેવા વિરોધ પક્ષોએ ટિ્‌વટર પોસ્ટને અવરોધિત કરવાના સરકારના પગલાની આકરી ટીકા કરી છે.

Share This Article