લાઠી(અમરેલી) : તા ૧૦/૦૯/૨૦૧૮ ના રોજ લાઠી તાલુકાના તમામ તલાટી કમ મંત્રી મંડળ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કરી ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ – ગુજરાત રાજ્ય અને અમરેલી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના આદેશ અનુસાર લાઠી મામલતદાર કચેરી , અને લાઠી તાલુકા પંચાયત કચેરીએ હાજર રહી લાઠી તાલુકા તલાટી કમ મંડળના પ્રમુખ અજીતસિંહ જાળીયા, ઉપપ્રમુખ મુકેશભાઈ ડી. મારું તેમજ તલાટી કમ મંત્રી મંડળના અન્ય હોદ્દેદારો દ્વારા લાઠી મામલતદાર આર.કે મનાત અને તાલુકા વિકાસ અધિકારી જે.જે ભટ્ટને પોતાની કેડરની પડતર માંગણી અને પ્રશ્નોના નિવારણ માટે આવેદન પત્ર પાઠવ્યું.
લાઠી તાલુકાના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા અપાયું આવેદન પત્ર..

By
News KhabarPatri
1 Min Read
