કુંવરજીભાઇ બાવળિયાએ કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરે ૪.૦૦ વાગ્યે યોજાયેલા શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ ઓ.પી.કોહલીએ કુંવરજીભાઇ મોહનભાઇ બાવળિયાને રાજ્યના મંત્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના મુખ્યસચિવ ડૉ. જે.એન.સિંઘે રાજ્યપાલની અનુમતિથી શપથવિધિ સમારોહનો આરંભ કરાવ્યો હતો. પોલીસ બેન્ડ પર રાષ્ટ્રગીતની સુરાવલી પછી શપથવિધિનો પ્રારંભ થયો હતો. રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે કુંવરજીભાઇ મોહનભાઇ બાવળિયાએ પદ અને ગુપ્તતાના શપથ ગુજરાતીમાં લીધા હતા.

ઉલ્લેખનીય છે કે આજે સવારે કુંવરજી બાવળીયાએ ક્રોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા.

Share This Article