મુંબઈ : થિયેટરોમાં જોરદાર ચાલ્યા પછી કેસરી ચેપ્ટર 2- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાઘ 13મી જૂનથી ખાસ જિયોહોટસ્ટાર પરથી સ્ટ્રીમ થશે. અક્ષય કુમાર, આર. માધવન અને અનન્યા પાંડેની આગેવાનીમાં કલાકારોથી ભરચક ફિલ્મે બોક્સ ઓફિસ ખાતે સમીક્ષકોની સરાહની મેળવી છે અને હવે આ શક્તિશાળી વાર્તા રાષ્ટ્રભરનાં સ્ક્રીન પર આવી રહી છે. કરણ સિંહ ત્યાગી દ્વારા દિગ્દર્શિત અને ધર્મા પ્રોડક્શન્સ, કેપ ઓફ ગૂડ ફિલ્મ્સ અને લિયો મિડિયા કલેક્ટિવના હીરૂ યશ જોહર, અરુણા ભાટિયા, કરણ જોહર, આદર પૂનાવાલા, અપૂર્વા મહેતા, અમૃતપાલ સિંહ બિંદ્રા અને આનંદ તિવારી દ્વારા નિર્માણ આ ફિલ્મ ભાવનાત્મક કાનૂની ડ્રામા છે, જે ભારતમાં બ્રિટિશકાળના સૌથી જુલમી (શાંત પાડનાર) ઘટના પર પ્રકાશ પાડે છે.
જલિયાંવાલા બાઘ હત્યાકાંડ પછીની પાર્શ્વભૂમાં સ્થાપિત કેસરી ચેપ્ટર 2માં એકમેવ, સિદ્ધાંતવાદી વકીલ સી સંકરન નાયર (અક્ષય કુમાર) બ્રિટિશ સામ્રાજ્યને કોર્ટમાં ઘસડીને તે ગોઝારા દિવસે જીવ ગુમાવનારા બધા લોકો માટે જવાબદારી નિશ્ચિત કરવાની માગણી કરે છે. આર માધવન બ્રિટિશના વકીલની ભૂમિકામાં છે, જ્યારે અનન્યા પાંડે કાયદાની વિદ્યાર્થિની છે, જે નાયરને આ અભૂતપૂર્વ કાનૂની લડતમાં ટેકો આપે છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ નીવડી હતી અને ઉત્તમ અભિનય, ધારદાર લેખન અને હચમચાવતા કોર્ટરૂમ દ્રશ્યો માટે ભારે સરાહના પામી હતી, જે વાર્તા નૈતિક તાકીદી સાથે દેશભક્તિને સંમિશ્રિત કરે છે.
સી સંકરન નાયરની ભૂમિકા ભજવતો અક્ષય કુમાર કહે છે, “કેસરી ચેપ્ટર 2 ઈતિહાસના સૌથી કાળી ઘટનામાંથી એકના પીડિતોને ન્યાય અપાવવા માટે પોતાનું સર્વસ્વ જોખમમાં મૂકીને મજબૂત બ્રિટિશ સામ્રાજ્ય સામે લડવાનું પસંદ કરતા અસાધારણ શખસની વાર્તા કહે છે. સી સંકરન નાયરની ભૂમિકા ભજવવાનો અનુભવ અત્યંત નમ્ર રહ્યો, જે સાહસ અને કટિબદ્ધતા સામર્થ્યવાન શક્તિઓને પણ હચમચાવવાની તાકાત ધરાવે છે તે યાદ અપાવે છે. આ ફિલ્મ કોર્ટરૂમ ડ્રામા પૂરતી સીમિત નથી, પરંતુ સચ્ચાઈ, સ્થિતિસ્થાપકતા અને ભારતના જોશને સલામી છે. મને ફિલ્મ થિયેટરોમાં સફળ રહી તેની ખુશી છે. આ શક્તિશાળી વાર્તા હવે વધુ દર્શકો સુધી પહોંચવાની છે, કારણ કે 13મી જૂનથી તે જિયોહોટસ્ટાર પરથી સ્ટ્રીમ થવાની છે.’’
બ્રિટિશના વકીલ નેવિલ મેકેન્લીની ભૂમિકા ભજવતો આર. માધવન કહે છે, “નેવિલ મેકેન્લી કોમ્પ્લેક્સ પાત્ર છે. તે બ્રિટિશ સામ્રાજ્યનાં હિતોનો કડક સંરક્ષક છે અને અક્ષય કુમારના પાત્રનો મજબૂત હરીફ છે. આ કોમ્પ્લેક્સ પાત્ર ભજવવાથી હું બ્રિટિશ સત્તા અને તે પ્રણાલીમાં નૈતિક સંઘર્ષોની કડવી વાસ્તવિકતાઓ સાથે પરિચિત થઈ શક્યો છું. કેસરી ચેપ્ટર 2 ફિલ્મથી વિશેષ છે. આ રોચક ઐતિહાસિક જંગ ફક્ત શસ્ત્રોથી નહીં પરંતુ શબ્દો, કાયદા અને વિચારધારા સાથે લડવામાં આવ્યો હતો. આ સઘન કોર્ટરૂમ ડ્રામા જોઈને દર્શકો કેવો પ્રતિસાદ આપે છે તે જોવા ઉત્સુક છું, 13મી જૂનથી જિયોહોટસ્ટાર પરથી પ્રસારિત થશે.’’
સી સંકરન નાયરને ટેકો આપતી વકીલ અનન્યા પાંડે કહે છે, “કેસરી ચેપ્ટર-2નો હિસ્સો બનવું તે મારે માટે અત્યંત પ્રેરણાત્મક પ્રવાસ રહ્યો. મારું પાત્ર અન્યાયનો સામનો કરવામાં આશા અને કટિબદ્ધતાનું કિરણ તરીકે ઊભું રહે છે. આ ફિલ્મ ગોઝારા જલિયાંવાલા બાઘ હત્યાકાંડ પછી સ્થિતિસ્થાપકતા અને સચ્ચાઈ માટે મજબૂત લડતની ખૂબીઓને મઢી લે છે. આ વાર્તા આજે પણ ઊંડાણથી ઊતરીને આપણને સાહસ અને એકત્રિત પ્રતિરોધની શક્તિની યાદ અપાવે છે. હું આ વાર્તા 13મી જૂનથી જિયોહોટસ્ટાર પર ભારતભરના દર્શકોને ઉપલબ્ધ થશે તે બાબતે ભારે રોમાંચિત છું.’