એનિસ્ટન અને બ્રાટ પીટના કિંમતી મકાનને વેચી દેવાશે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

લોસએન્જલસ : વિશ્વની સૌથી લોકપ્રિય સેલિબ્રિટીઓમાં સ્થાન ધરાવનાર સ્ટાર અભિનેત્રી જેનિફર એનિસ્ટ અને બ્રાડ્‌ પીટ વચ્ચે કોઇ સમય ખુબ સારા સંબંધ હતા. હવે તેમના આવાસને વેચી દેવાની તૈયારી કરવામાં આવી છે. પ્રાપ્ત  હેવાલ મુજબ ચેલ્સી હેન્ડલર અને એનિસ્ટન વચ્ચના સંબંધનો હવે અંત આવી ગયો છે. જેથી એનિસ્ટન ફરી સિંગલ બની ગઇ છે. બ્રાડ પીટ અને એનિસ્ટને મળીને બેવરલી હિલ્સમાં ૫૬ મિલિયન ડોલરમાં આવાસની ખરીદી કરી હતી. તમામ લોકો જાણે છે કે ટોપની સેલિબ્રિટી  એનિસ્ટનના થેરોક્સ સાથે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સંબંધ તુટી ગયા બાદ તે હેન્ડલરના પ્રેમમાં પડી હતી.

જો કે હવે તેની સાથે પણ સંબંધ તુટી ગયા છે.  તે  પહેલા  એમઆઇટી પ્રોફેસરના પ્રેમમાં  પણ રહી હતી. પ્રોફેસરનુ નામ નેરી ઓક્સમન હોવાનુ પણ જાણવા મળ્યુ હતુ.  જો કે આ સંબંધમાં વધારે વિગત મળી શકી નથી. જેનિફર એનિસ્ટને  હવે એવા અહેવાલને રદિયો આપ્યો છે કે તે સગર્ભા છે. તેનુ કહેવુ છે કે મિડિયામાં છેલ્લા કેટલાક સમયથી પ્રકાશિત થઇ રહેલા અહેવાલ પાયાવગર છે. આ હેવાલનોમાં કોઇ વાસ્તિકતા નથી.

તેનુ કહેવુ છે કે મિડિયામાં  સતત અહેવાલ આવ્યા બાદ તેને આખરે સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. તમામ હોલિવુડ ચાહકો સારી રીતે જાણે છે કે જેનિફર એનિસ્ટનના વિતેલા વર્ષોમાં કેટલાક ટોપના કલાકારો સાથે સંબંધ રહી ચુક્યા છે. જેમાં હોલિવુડ સ્ટાર બ્રાડ પીટનો સમાવેશ થાય છે. બ્રાડ પીટ સાથે તેના સંબંધોનો એ વખતે અંત આવ્યો હતો જ્યારે એન્જેલિના જોલી બ્રાડ પીટની લાઇફમાં આવી ગઇ હતી. જો કે આજે પણ બ્રાડ પીટ સાથે તેની મિત્રતા જાણીતી રહી છે. આ ઉપરાંત અન્ય પુરૂષો સાથે તેના સંબંધની પણ ભારે ચર્ચા રહી હતી. હાલમાં તેની પાસે કોઇ પ્રોજેક્ટ અથવા તો ટીવી સિરિયલ  છે કે કેમ તે અંગે માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે.

Share This Article