પાકિસ્તાને શનિવારે રાતે જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં ફરી એક વખત સીઝફાયરનો ભંગ કરીને ગોળાબારી શરૂ કરી હતી. જેમાં બીએસએફના બે જવાન વિજય કુમનાર પાંડે અને સત્યનારાયણ જાદવ શહીદ થયા છે. પાકિસ્તાને ભારતની 10 ચોકીઓને ટાર્ગેટ કરી હતી. જેની સામે હવે બીએસએફ દ્વારા પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાના ફાયરિંગમાં 3 નાગરિકો પણ ઘાયલ થયા છે. 30 જેટલા ભારતીય ગામ પાકિસ્તાનના ફાયરિંગનો ભોગ બન્યા છે. આ પહેલા પણ રમઝાન મહિનાના પ્રારંભે પાકિસ્તાને ગોળાબારી કરતા 40000 લોકોનું સ્થળાંતર કરવુ પડ્યુ છે. સરહદ પરના ગામડાઓમાંથી હજારો લોકો ડરના કારણે રાહત છાવણીઓમાં રહેવા માટે મજબૂર બન્યા છે.
જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં પાકિસ્તાનને ફરી કર્યો સીઝફાયરનો ભંગ : ૨ જવાન શહીદ

By
News KhabarPatri
1 Min Read
