આધારકાર્ડને મોબાઈલ સાથે લીંક કરવું ફરજીયાત નથી :  સુપ્રીમકોર્ટની ટકોર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આધાર કાર્ડ અંગેના કેસની સુનાવણી કરી રહેલી દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તેમણે ક્યારેય મોબાઈલ નંબર સાથે આધાર લિંક કરવાનો આદેશ નથી આપ્યો. પાછલા ઘણાં સમયથી બેંકિંગથી લઈને તમામ સેક્ટર્સમાં ગ્રાહકોને આધાર સાથે મોબાઈલ નંબરને જોડવાનું દબાણ કરવામાં આવતું હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીને ઘણી મહત્વની માનવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારે 6 ફેબ્રુઆરી, 2017ના રોજ આપવામાં આવેલા તેના આદેશનો ખોટો અર્થ કાઢ્યો છે. સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ મોબાઈલ ફોનને આધાર સાથે ફરજિયાત જોડવાના સરકારના નિર્ણય પર સવાલ કર્યા છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી પાંચ ન્યાધીશોની પીઠે કહ્યું કે, લોકનીતિ ફાઉન્ડેશન દ્વારા જનહિત અરજી પર તેમના આદેશમાં કહેવામાં આવ્યુ હતું કે, મોબાઈલનો ઉપયોગ કરનારા લોકોએ રાષ્ટ્ર સુરક્ષાના હિતમાં વેરિફિકેશનની જરુર છે. આ પીઠ આધાર અને તેના 2016ના એક કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી છે.

Share This Article