ઇસરો દ્વારા નેવિગેશન સેટેલાઇટ આઇઆરએનએસએસ-૧ લોંચ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ ગુરુવારે નવા નેવિગેશન સેટેલાઇટને લેંચ કર્યો. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત ધવન અંચરીક્ષ કેન્દ્રથી સવારે ચાર કલાક અને ચાર મિનિટે ઇંડિયન રીજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (આઇઆરએનએસએસ-૧)ને અંતરીક્ષમાં મોકલવામાં આવ્યો. પીએસએલવી-સી૪૧ રોકેટ દ્વારા તેને લોંચ કરવામાં આવ્યો.

આ સફળ લોંચિગ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા જણાવ્યું કે નેવિગેશન ઉપગ્રહ આઇઆરએનએસએસ-૧ના પીએસએલવી દ્વારા સફળ પરીક્ષણ માટે આપણા વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવું છું. આ સફળતા અપાણા અંતરીક્ષ કાર્યક્રમના લાભની સાથે-સાથે સામાન્ય માણસને પણ લાભ કરાવશે. ઇસરોની ટીમ પર અમને ગર્વ છે.

Share This Article