ઉત્તરપ્રદેશ : યુપીમાં મદરેસાઓની તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. યુપીની 108 મદરેસાઓને માત્ર ૨ વર્ષમાં 150 કરોડ રૂપિયાથી વધુનું ફંડ મળ્યું છે. જીૈં્ની તપાસમાં મદરેસાઓમાં મોટા પાયે વિદેશી ફંડિંગના પુરાવા મળ્યા છે. આ મદરેસાઓ ગલ્ફ દેશોમાંથી પૈસા મેળવે છે. યુપીના જે જિલ્લાઓમાં મદરેસાઓને વિદેશી દેશોમાંથી આર્થિક મદદ મળી રહી છે તેમાં બહરાઈચ, સિદ્ધાર્થ નગર, શ્રાવસ્તી તેમજ સહારનપુર, દેવબંદ, આઝમગઢ, મુરાદાબાદ, રામપુર અલીગઢ સહિતના ડઝનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે. એટીએસે આ મદરેસાઓના સંચાલકો પાસેથી વિદેશમાંથી કઈ સંસ્થા ફંડ મોકલે છે, પૈસા ક્યાંથી મોકલવામાં આવ્યા હતા, કઈ રીતે મોકલવામાં આવ્યા હતા, કયા ખાતામાંથી મોકલવામાં આવ્યા હતા તેની સંપૂર્ણ વિગતો માંગી છે. ફંડ મળ્યા પછી મદરેસામાં પૈસા ક્યાં ખર્ચાયા? ખર્ચની સંપૂર્ણ રસીદ, સંપૂર્ણ ખરીદી બિલપ દરેક વસ્તુની ચકાસણી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઑક્ટોબર મહિનામાં ઉત્તર પ્રદેશ સરકારે એડીજી એટીએસ અને લઘુમતી કલ્યાણ વિભાગના અધિકારીઓની બનેલી ત્રણ સભ્યોની એસઆઈટીની રચના કરી હતી અને મદરેસાઓના વિદેશી ભંડોળની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે એસઆઈટીને માહિતી મળી છે કે યુપીની ૧૦૮ મદરેસાઓને વિદેશી ફંડિંગ મળી રહ્યું છે. જીૈં્એ આ મદરેસાઓ પાસેથી બેંક ખાતાઓની સંપૂર્ણ વિગતો માંગી છે. વાસ્તવમાં ઉત્તર પ્રદેશમાં ૨૫ હજારમાંથી ૧૬,૫૦૦ મદરેસાઓ માન્ય છે. આમાંથી ઘણી મદરેસાઓને વિદેશમાંથી ફંડ મળતું હતું. યોગી સરકારે આની તપાસ માટે એડીજી એટીએસ મોહિત અગ્રવાલના નેતૃત્વમાં ત્રણ સભ્યોની એસઆઈટીની રચના કરી હતી. તે જ સમયે, ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ બોર્ડના અધ્યક્ષ ડૉ. ઇફ્તિખાર અહેમદ જાવેદે આ મદરેસાઓની તપાસ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આનાથી પરીક્ષાઓ ખોરવાઈ જશે. તેઓ લઘુમતી કલ્યાણ પ્રધાન ધરમપાલ સિંહને મળ્યા અને તેમને પત્ર સોંપ્યો અને બોર્ડની પરીક્ષા સુધી તપાસ મોકૂફ રાખવા વિનંતી કરી.
Sembcorp took part in the 4th Global Re-Invest 2024 Summit.
The summit served as a platform for industry leaders, policymakers, and innovators to discuss the future of renewable energy in...
Read more