નવી દિલ્હી : પ્રિયંકા ગાંધીના પતિ અને કારોબારી રોબર્ટ વાઢેરાની મની લોન્ડરિંગ સાથે જાડાયેલા એક મામલામાં પુછપરછ કરવામાં આવનાર છે. ઇડી દ્વારા પુછપરછ કરવામાં આવશે. મળેલી માહિતી મુજબ રોબર્ટ વાઢેરા આવતીકાલે સાંજે ચાર વાગે ઇડી સમક્ષ ઉપસ્થિત થશે. ઇડીએ લંડનના બ્રાયંસ્ટન સ્કવેરમાં ૧૯ લાખ પાઉન્ડમાં એક સંપત્તિ ખરીદવાને લઇને વાઢેરાની સામે મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યો છે. આ પહેલા વાઢેરાના સાથી મનોજ અરોડાને કોર્ટે છઠ્ઠી ફેબ્રુઆરી સુધી વચગાળાના જામીન આપ્યા હતા. રોબર્ટ વાઢેરાની પુછપરછને લઇને રાજકીય ગરમી વધી છે.
કથાકાર મોરારીબાપુએ પહેલગામ આતંકી હુમલાની ઘટના વખોડી, પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
વિશ્વવિખ્યાત કથાકાર મોરારીબાપુ એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકની સમગ્ર ઘટનાને વખોડી છે. તેમજ આતંકી હુમલાને લઇ કથાકાર મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી...
Read more