ગાંધીનગર : ગુજરાતમાં ફરી એકવાર શિક્ષકોની બદલીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આંતરિક જિલ્લા ફેર બદલી કરવામાં આવનારી છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં ૩૧-૫-૨૦૨૪ ના રોજ વય મર્યાદાને ધ્યાનમાં રાખીને નિવૃત્ત થતા શિક્ષકોને ધ્યાનમાં રાખી બદલી કેમ્પ યોજાશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પત્ર લખી જાણ કરવામાં આવી છે. ૩૧ મે ૨૦૨૪ માં નિવૃત્ત થતા શિક્ષકોને ધ્યાનમાં રાખીને માહિતી એકત્ર કરવા આદેશ કરાયો છે. જે અંગે એક નૉટિફિકેશન સામે આવ્યુ છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં બદલીને લઇને વાતો ચાલી રહી છે, હવે આ મામલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આંતરિક જિલ્લાફેર બદલી કરવામાં આવનારી છે. આગામી ૩૧ મે એટલે કે, ૩૧- ૫- ૨૦૨૪ ના રોજ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં વય મર્યાદાને ધ્યાનમાં રાખીને નિવૃત્ત થતાં શિક્ષકોને ધ્યાનમાં રાખી બદલી કેમ્પ યોજાશે. જેમાં મનગમતા જીલ્લામાં બદલી માટે શિક્ષકોને પસંદગી આપવાની વાત ચાલી રહી છે. આ બદલી કેમ્પને લઇને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પત્ર લખી જાણ પણ કરવામાં આવી છે. ૩૧ મે, ૨૦૨૪ના રોજ નિવૃત્ત થતાં શિક્ષકોને ધ્યાનમાં રાખીને માહિતી એકત્ર કરવા આદેશો પણ અપાયા છે.
અમદાવાદમાં ફરી હિટ એન્ડ રનની ઘટના, કારે પાછળથી ટક્કર મારી માતા-પુત્રને હવામાં ફંગોળ્યા
અમદાવાદમાં દરરોજ કૂદકે ને ભૂસકે અકસ્માતનો આંકડો વધતો જાય છે. સુખી ઘરના નબીરાઓ બેફામ ડ્રાઇવિંગ કરીને રોડ પર જતાં નિર્દોષને...
Read more