પાક.ના તમામ પ્રયાસો છતાં ભારતને નિમંત્રણ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

નવીદિલ્હી : પાકિસ્તાનના તમામ પ્રયાસો છતાં ઓઆઈસીની બેઠકમાં ભારતને આપવામાં આવેલું આમંત્રણ રદ કરવામાં આવ્યું ન હતું. પાકિસ્તાને ભારતને રોકવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. વિતેલા વર્ષોના પારિવારિક સંબંધોની યાદ પણ અપાવી હતી પરંતુ ઓઆઈસીની બેઠકમાં ભારતના આમંત્રણને રદ કરવામાં પાકિસ્તાનને સફળતા મળી ન હતી. ભારતને રાજદ્વારી જીત મળી હતી જ્યારે પાકિસ્તાનને મુસ્લિમ દેશોના સંગઠન તરફથી પણ ફટકો પડ્યો હતો. ભારતના આમંત્રણ રદ કરવા ઓઆઈસી તરફથી રજૂઆત કરવામાં આવી હતી. પાકિસ્તાનની માંગ ફગાવી દેવામાં આવ્યા બાદ પાકિસ્તાને નારાજગી વ્યક્ત કરીને ઓઆઈસીની બેઠકનો બહિષ્કાર કર્યો હતો. ભારતના આમંત્રણને રદ કરવામાં ન આવતા પાકિસ્તાનની હાલત કફોડી બની હતી.

Share This Article