રણવીરસિંહની ફિલ્મ જશેયભાઈ જાેરદારની સ્ટોરીમાં…

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

રણવીરસિંહ અલગ અલગ કિરદારો કરવામાં માહિર છે ત્યારે

રણવીર સિંહ હવે ‘જયેશભાઈ’ બની ગયો છે, તે પણ જાેરદાર અંદાજમાં. જ્યારે પણ રણવીર સ્ક્રીન પર આવે છે, ત્યારે તમે તેને ભૂલી જાવ છો અને માત્ર તેના પાત્રને જ યાદ કરો છો. રણવીરે પહેલા અલાઉદ્દીન ખિલજી બનીને દિલોમાં દહેશત પેદા કરી હતી, હવે જયેશભાઈ જાેરદાર સ્ક્રીન પર પોતાની માસૂમિયતથી દિલ જીતતા જાેવા મળશે. યશરાજ પ્રોડક્શનની આ ફિલ્મમાં લેખક દિવ્યાંગ ઠક્કર પહેલીવાર ડિરેક્ટરની ખુરશી પર બેઠા છે.

હવે અમે તમને જણાવીએ કે આ જયેશભાઈની વાર્તા સ્ક્રીન પર કેટલી જાેરદાર રીતે બતાવવામાં આવી છે. આ ફિલ્મ ગુજરાતના એક એવા ગામની છે, જ્યાં લગ્ન પછી સૌથી મહત્વની બાબત નાનકા એટલે કે છોકરો પેદા કરી વંશ આગળ વધારવાની છે. અહીં સ્થિતી એવી છે કે જ્યારે કોઈ છોકરી સરપંચ (બમન ઈરાની) સામે છોકરાઓની છેડતીની ફરિયાદ કરે છે, ત્યારે સરપંચ સાહેબ તેના માટે સુગંધિત સાબુને જવાબદાર માને છે અને તેમના આવુ કહેવા પર આખું ગામ માથું હલાવે છે.

જયેશ ભાઈ (રણવીર સિંહ) આ સરપંચનો દીકરો છે, જે સંપૂર્ણ રીતે ‘સાચો મર્દ બનવાના નિયમો’થી પરે છે, પરંતુ તેના પિતાની સામે બોલવાની તે હિંમત નથી કરતો. જયેશ ભાઈને પહેલી વખત છોકરી થઈ ચૂકી છે અને આ બાદ ૬ વાર ભ્રુણહત્યા કર્યા પછી હવે તેમની પત્ની મુદ્રા (શાલિની પાંડે) ફરી ગર્ભવતી છે. જયેશ ભાઈને ખબર પડી કે તેમની પત્ની ફરી એક વાર દીકરીને જન્મ આપવા જઈ રહી છે અને તેમના જયેશ ભાઈ આ જ દીકરીનો જીવ બચાવવા માટે જ પ્રયત્ન કરી રહ્યા છે.

સૌથી પહેલા વાર્તાની વાત કરીએ તો જ્યારે આ ફિલ્મનું ટ્રેલર આવ્યું ત્યારે લાગ્યું કે આ એક જાેરદાર ફિલ્મ આવવાની છે, તેમાં ફની ડાયલોગ્સ છે, કોમેડી છે અને રણવીર સિંહ છે. પરંતુ સમસ્યા ત્યારે આવે છે જ્યારે તમે ફિલ્મ જાેવા આવો, કારણ કે આ ફિલ્મની તમામ મહત્વની બાબતો ટ્રેલરમાં પહેલેથી જ બતાવી દેવામાં આવી છે. ફિલ્મની મહત્વની વાતો તો આપણે અઢી મિનિટના ટ્રેલરમાં જ જાેઈ લીધી. હવે આગળ શું.

૨ કલાકમાં થિયેટરોમાં શું જાેવું. ટ્રેલર જાેઈને લાગ્યું કે આ ફિલ્મ એક નવો માણસ બતાવશે, જે રડે છે અને જેને દર્દ પણ છે. પણ નબળી વાર્તા અને ફરતા સ્ક્રિનપ્લે વચ્ચે આ ‘નવા પ્રકારનો મર્દ’ પણ ફિલ્મને બચાવી શકતો નથી. વાર્તાની વાસ્તવિક ફિલ્ડિંગ શરૂઆતના કેટલાક દ્રશ્યોમાં તૈયાર કરવામાં આવી હતી, પરંતુ જબરદસ્ત બિલ્ડઅપ પછી તમે ફરીથી વારંવાર નિરાશ થશો. ચેઝિંગ સિક્વન્સ ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે તે જાણી શકાયું નથી.

બાળકીઓને ગર્ભમાં મારનાર ગામની બાજુમાં જ અન્ય એક ગામ યુવતીઓ સાથે સેલ્ફી લઈને ઈનામ મેળવી રહ્યું છે. ફિલ્મમાં જે પણ ફની સીન છે, અથવા જેને તમે પંચ કહો, તે મોટાભાગે પહેલાથી જ ટ્રેલરમાં જાેવા મળ્યા હતા. હા, બસ ક્લાઈમેક્સમાં ‘પપ્પી’ ની આસપાસ રમાયેલી આખી રમત નવી કહી શકાય. ફિલ્મના ક્લાઈમેક્સનો અર્થ શું છે? આપણે જાણીએ છીએ કે વાર્તાઓમાં કલ્પનાના ઘોડા દોડે છે, પણ આવી રીતેપ ‘જયેશભાઈ જાેરદાર’ લેખકમાંથી દિગ્દર્શક બનેલા દિવ્યાંગ ઠક્કરનો પહેલો પ્રયાસ છે અને આ ગડબડ માટે તેમને જ જવાબદાર ગણવા પડશે.

કેટલાક સિક્વન્સ એકદમ નબળાશ અને છીલાઈથી બનાવવામાં આવ્યા છે. ફિલ્મમાં એક સિકવન્સ છે, જેમાં એક સગર્ભા મહિલા અને એક નાની બાળકી બિલાડીએ રસ્તો કાપ્યા બાદ ખુલ્લા ખેતરમાં એટલી દૂર ભાગી હતી કે તેમને શોધતા આવતા ૧૦-૧૨ માણસો તેમને પકડી શક્યા ન હતા. આવા દ્રશ્યો પછી તમે વાર્તામાંથી તમારો વિશ્વાસ બિલકુલ ઉઠી જશે. જાે આ ફિલ્મ સિનેમા હોલમાં જાેવા જઈ શકાય છે તો તેનું સૌથી મોટું કારણ રણવીર સિંહ છે.

રણવીરે તેની પૂરી ઇમાનદારી સાથે અભિનય કર્યો છે અને ફરી એકવાર કમાલ કરી બતાવ્યો છે. માનવું બહુ મુશ્કેલ બની જાય છે કે આ એ જ વ્યક્તિ છે જે અલાઉદ્દીન ખિલજી કે કપિલ દેવ બન્યો હતો. રણવીર તેની પેઢીનો એક શઆનદાર અભિનેતા છે. માત્ર રણવીર જ નહીં, બોમન ઈરાની, શાલિની પાંડે અને રણવીરની દીકરીની ભૂમિકા ભજવનાર જિયા વૈદ્યએ પણ શાનદાર કામ કર્યું છે.

જયેશભાઈ જાેરદાર એક શાનદાર મેસેજ આપતી ફિલ્મ છે, જે રણવીર સિંહના અભિનય માટે એકવાર જરૂર જાેવી જાેઈએ. હું ઈચ્છું છું કે આ અદ્ભુત પ્લોટ એક સારી વાર્તા અને યોગ્ય ટ્રીટમેન્ટ સાથે પીરસવામાં આવ્યો હોત, તો આનો સ્વાદ કંઈક અલગ જ હોત. મારી તરફથી આ ફિલ્મને ૨.૫ સ્ટાર્સ.

Share This Article