સુરતમાં ફ્લેટધારકો સાથે બિલ્ડરે ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. સુરતના બમરોલીમાં ૧૭૬ ફ્લેટધારકો સાથે બિલ્ડરે ઠગાઈ કરી છે. બિલ્ડરે ફ્લેટ પર રૂ.૧૦ કરોડની લોન લીધા બાદ હપ્તા ન ભરી છેતરપિંડી આચરી છે. રૂ.૧૦ કરોડની લોન લઇ બિલ્ડર રફુચક્કર થતાં ફ્લેટધારકો મુશ્કેલીમાં મુકાયા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના બમરોલીમાં બિલ્ડરે ફ્લેટ પર લોન લીધા બાદ લોન ન ભરતા ફ્લેટધારકોને બેંકે નોટિસ ફટકારી છે. બેંકે નોટિસ ફટકારતા ૧૭૬ ફ્લેટધારકોના જીવ તાળવે ચોટ્યા છે. ત્યારે આ મામલે CIDએ શ્લોક એન્ટરપ્રાઇઝ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
‘યુનિટી ટુ નોટિફાઇ’ દ્વારા ભારતમાં કેન્સરને એક નોંધનીય રોગ તરીકે વર્ગીકૃત કરવા સરકારને અપીલ કરાઈ
અમદાવાદ: અપોલો કેન્સર સેન્ટર્સે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન (AHNA) અને અન્ય સંસ્થાઓના સહયોગથી વિશ્વ કેન્સર...
Read more