સુરતમાં નાનપુરામાં સંતાનોને આજીવન રાખવા કહીને ક્લાર્કનો પરિણીતા પર બળાત્કાર

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

નાનપુરા ખાતે બહુમાળીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા કર્મચારીએ નાનપુરાની પરિણીતાને લગ્ન અને બાળકોને આજીવન સાથે રાખવાની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ વાતની પતિને ખબર પડી હતી. પતિએ પત્ની સાથે અઠવા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે બહુમાળીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા ૨૫ વર્ષીય મીનાઝ ગુલામ મોહ્રુદીન સૈયદ (રહે,રંગઅવધુત સોસા,રામનગર,રાંદેર)ની સામે બળાત્કારનો ગુનો નોંધાવ્યો છે. હાલ આરોપી બહારગામ છે. પોલીસ ટીમ ક્લાર્કને પકડવા માટે રવાના થઈ છે. આરોપી મીનાઝ અપરિણીત છે. વધુમાં મીનાઝ સૈયદ માહિતી ખાતામાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે. જોકે, પહેલા તે ક્લાર્ક તરીકે નહિ પરંતુ કોન્ટ્રાક્ટમાં પટાવાળો હતો અને ૧૦ દિવસ પહેલા કોન્ટ્રાક્ટમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે રાખવાનું નક્કી કર્યુ છે. જોકે, તેને હજુ નોકરી પર રાખ્યો નથી.

નાનપુરામાં રહેતી ૨૭ વર્ષીય પરિણીતા ક્લાર્ક મીનાઝ સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. વાતચીતમાં બન્નેએ ફોન નંબર આપ્યા હતા. બન્ને ફોનમાં વાત કરતા હતા. મહિલા તેના ઘરે એકલી હોય ત્યારે કલાર્ક આવતો હતો. મહિલાને કલાર્કે લગ્ન કરવાની અને સંતાનોને આજીવન સાથે રાખવાની લાલચ આપી હતી. આરોપી કલાર્કએ અલગ અલગ જગ્યાઓ પર મહિલાને લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો. મહિલાનો પતિ રિક્ષાચાલક છે. મહિલા સાથે ક્લાર્ક વર્ષ ૨૦૨૧થી સંપર્કમાં આવ્યો હતો.

Share This Article