આસામમાં પુરની સ્થિતીમાં સુધાર : તંત્ર દ્વારા પગલાઓ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

નવી દિલ્હી  : આસામમાં પુરની સ્થિતી આંશિક રીતે હળવી બનતા બચાવ અને રાહત કામગીરી વધારે ઝડપી કરવામાં આવી રહી છે. લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ તંત્ર સામે હવે રોગચાળાને રોકવા માટે મોટો પડકાર રહેલો છે. કારણ કે નીચાણવાળા વિસ્તારમાં પાણી રહેલા છે. અસરગ્રસ્ત જિલ્લાની સંખ્યા ૧૧થી વધીને ૧૭ ઉપર પહોંચીગઇ છે. નવેસરના અનેક વિસ્તારો પુરના સકંજામાં આવી ગયા હોવા છતાં કોઇ ખુવારી થઇ રહી નથી. હવે કુલ અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૪૨૩૩૮૬ ઉપર પહોંચી ગઇ છે.

આસામમાં અતિ ભારે વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. જેથી લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી દેવામાં આવ્યા છે. જે ૧૭ અસરગ્રસ્ત જિલ્લાઓ રહેલા છે તેમાં ધેમાજી, લખીમપુર, સોનિતપુર, બક્સા, બારપેટા, નાલબેરી, ચિરાંગ અને અન્ય જિલ્લાઓનો સમાવેશ થાય છે. આસામના ધેમાજી જિલ્લામાં સૌથી વધારે અસર થઇ છે. અહીં ૮૦૦૦૦ લોકોને પુરની અસર થઇ છે. લખીમપુર અને બોન્ગાઇગામમાં પણ ભારે અસર થઇ છે.

અ જગ્યાએ ૭૨૦૦૦ લોકો પુરના સંકજામાં આવી ગયા છે. જે મતવિસ્તારનુ પ્રતિનિધીત્વ મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલ કરે છે તે મજાલી દ્ધિપ વિસ્તારમાં ૩૬૦૦૦ લોકોને માઠી અસર થઇ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી ચુકી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએકહ્યુ છે કે ધેમાજીમાં સૌથી વધારે હાલત કફોડી થયેલી છે. મોરીગાવ જિલ્લાના બાલીમુખ ગામમાં કેટલાક મકાનો પાણીમાં ધુસી ગયા છે. સ્થિતીને સામાન્ય બનાવવા માટે પ્રયાસ જારી છે.

Share This Article