HOF ગ્રુપના સ્થાપક અને ચેરમેન પ્રવિણ પટેલે ધ લીલા ગાંધીનગર ખાતે JITO બિઝનેસ નેટવર્કના અમદાવાદ ચેપ્ટર દ્વારા આયોજિત JBN મિલાપ – એક રાષ્ટ્રીય પરિસંવાદમાં ઉદ્યોગસાહસિકતા અને બ્રાન્ડિંગમાં સફળતા અંગે પોતાના વિચારો શેર કર્યા હતા. પટેલે પોતાના શબ્દોમાં વ્યવસાય ચલાવવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે બ્રાન્ડિંગ આવશ્યક છે, પરંતુ ચાવીરૂપ પરીબળ એ છે કે ઉત્પાદન એટલું મજબૂત બનાવવું કે તે એક વિશિષ્ટ ઓળખ બનાવે અને પોતાની મેળે વેચાય. આ મીટમાં અગ્રણી ઉદ્યોગકારો, મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો અને ટોચના વ્યાવસાયિકો જોડાયા હતા.
રાજોકટમાં આવશે ‘હમારે રામ’, ફેલિસિટી થિયેટર દ્વારા યોજાશે નાટક, આશુતોષ રાણા ભજવશે રાવણની ભુમિકા
રાજકોટ : ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વથી "હમારે રામ" રજૂ કરે છે, જે મહાકાવ્ય કદનો નાટ્ય કાર્યક્રમ છે....
Read more