ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી માર્ચ-૨૦૧૮થી શરૂ થતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની જાહેર પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી, વાલીઓ તેમજ શાળાને માર્ગદર્શન મળી રહે તે માટે ટોલ ફ્રી હેલ્પલાઇન તા. ૧૯ ફેબ્રુઆરી-૨૦૧૮ થી ૨૮ માર્ચ-૨૦૧૮ સુધી કાર્યરત રહેશે. આ હેલ્પલાઇનમાં એક્ષપર્ટ કાઉન્સેલર તેમજ સાયકોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ છે. હેલ્પલાઇનનો સમય સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૬.૩૦નો છે, તેમ એક યાદીમાં જણાાવાયું છે.
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેટર એનર્જી કંપનીના ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે બાવળા તાલુકાના ચાંગોદર ખાતે મેટર એનર્જી કંપનીના નવા ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું...
Read more