બર્મિગ્હામ : ભારે વરસાદના કારણે કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આસામ, ઓરિસ્સા અને ભારતના પૂર્વીય ભાગોમાં હાલત કફોડી બનેલી છે. આ તમામ રાજ્યોમાં ભારે પુરના કારણે સ્થિતી ગંભીર બનેલી છે. લાખોની સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી લેવામાં આવ્યા છે. અસરગ્રસ્ત રાજ્યોમાં પુર પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. મોટી સંખ્યામાં લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કેરળમાં પુરની સ્થિતી વધુને વધુ ગંભીર બની રહી છે. એકલા કેરળમાં જ ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થઇ ચુક્યા છે.ભારે વરસાદની સાથે સાથે નીચે મુજબ છે.
• ભારે વરસાદના કારણે કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આસામ, ઓરિસ્સા અને ભારતના પૂર્વીય ભાગોમાં હાલત કફોડી બનેલી છે
• લાખોની સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી લેવામાં આવ્યા છે
• પુરગ્રસ્ત રાજ્યોના અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો સક્રિય
• કેરળમાં લોકોની હાલત કફોડી બની છે. જનજીવન ઠપ્પ થઇ ગયુ
• કેરળમાં પુરની સ્થિતી વધુને વધુ ગંભીર બની રહી છે. એકલા કેરળમાં જ ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થઇ ચુક્યા છે
• દુનિયાની નંબર વન ટેસ્ટ ટીમ તરીકેની પ્રતિષ્ઠા જેવો દેખાવ કરવા માટે ટીમ ઇન્ડિયા તૈયાર
• મહારાષ્ટ્રમાં ૨૭ લોકોના મોત થઇ ચુક્યા છે. હાલત કફોડી છે. અહીં પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો લાગેલી છે
• રવિવાર સુધી કોચી એરપોર્ટ પર ઓપરેશનને બંધ કરી દેવામાં આવી છે. એરપોર્ટ પર રનવે એરિયામાં પાણી ભરાઇ ગયા છે
• કેરળમાં વર્ષ ૨૦૧૮માં પણ ભારે વરસાદ થયો હતો. વર્ષ ૨૦૧૮માં ૪૧૭ લોકોના મોત થયા
• તમામ પુરગ્રસ્ત રાજ્યોમાં મુખ્યપ્રધાન હવાઇ સર્વેક્ષણ કરીને માહિતી મેળવી રહ્યા છે
• મુંબઇથી પ્રાપ્ત હેવાલ મુજબ પુણે ડિવિઝનના પાંચ જિલ્લાઓમાં હજુ સુધી ૨.૦૫ લાખ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બીજી બાજુ સાંગલીમાં બોટ ઉંધી વળી જતા નવ લોકોના મોત થયા છે
મોટા સમાચાર : કેબિનેટે ચંદ્રયાન-4 મિશનને મંજૂરી આપી
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની કેન્દ્રીય કેબિનેટે ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યા પછી પૃથ્વી પર પાછા આવવાની...
Read more