અમદાવાદ: ઇન્ડિયન કાઉન્સિલ ફોર સોશિયલ વેલ્ફેર અને અમદાવાદ પ્રિન્સિપલ એસોસિએશનના ઉપક્રમે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સેવા આપનાર પાંચ શિક્ષણિદને ગુરુ દ્રોણાચાર્ય એવોર્ડ એએમએ વસ્ત્રાપુર ખાતે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડસમાના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા અને સન્માન કરાયું હતું. આ એવોર્ડ પ્રાપ્ત કરનારમાં શિક્ષણકાર સુરેશભાઈ શુક્લ, વિદ્યુત જાશી, ડો. પંકજ પટેલ, ડો. બીએ પ્રજાપતિ અને ડો. જગદીશ ભાવસારનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત કરનારા, શિક્ષણને સમાજ સેનું માધ્યમ ગણનારા ઉત્કૃષ્ટ શિક્ષણકારોને શોધવાનું અને સન્માન કરવાનું કાર્ય કરતી સામાજિક સંસ્થાઓની પરંપરા સમાજમાં વધુ પ્રસરે અને જ્ઞાનનો દિપક સતત ઝળકતો બને તેવી શુભેચ્છા પાઠવી હતી.
અમદાવાદના સ્ટાર્ટઅપ અને PRCI અમદાવાદ ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે intellectual પ્રોપર્ટી પર કઈ રીતે રક્ષણ કરશો તે વિષય પર ચર્ચા
વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ 2025: સર્જનાત્મકતા અને નવીનતાને આગળ ધપાવવામાં સંગીત અને IP અધિકારોની શક્તિની ઉજવણી વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ...
Read more