ગુજરાત ઇન-સી-ટુ સ્લમ રીહેબીલીટેશનમાં અગ્રેસર છે: મુખ્યમંત્રી

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે સ્લમ રિહેબીલીટીશન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. આ સંદર્ભમાં તેમણે જાહેર કર્યુ કે, રાજયમાં ઝૂંપડપટ્ટી પૂર્નવસન તહેત ઇન-સી-ટુ રિહેબીલીટેશનના ૪પ હજાર સુવિધાયુકત આવાસ લક્ષ્યાંક સામે ૧પ હજાર પૂર્ણ થઇ ગયા છે. નવા રપ હજાર આવાસોનું આયોજન પણ રાજ્ય સરકારે કર્યુ છે.

મુખ્યમંત્રીએ સ્માર્ટ ટેકનોલોજી ફોર હાઉસીંગ એન્ડ ઇન-સી-ટુ સ્લમ રિહેબીલીટેશન વિષયક નેશનલ વર્કશોપનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. આ એક દિવસીય વર્કશોપમાં દેશના ર૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શહેરી વિકાસ સચિવો, વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ર૦રર સુધીમાં દેશના હરેક નાગરિકને છત મળે, આવાસ મળે તે માટેના પ્રધાનમંત્રીના સંકલ્પમાં સ્લમ એન્વાયરમેન્ટ ચેન્જ કરી ઝૂગ્ગી-ઝોંપડી હટાવીને ત્યાં જ સુવિધાસભર આવાસ નિર્માણ માટે ગુજરાતમાં પહેલરૂપ આયામો અપનાવ્યા છે.

તેમણે ઉમેર્યુ કે, માનવીની ત્રણ મૂળભૂત જરૂરિયાતો રોટી, કપડા અને મકાન છે. વિકાસનો મુખ્ય આધાર આ ત્રણ બાબતો છે ત્યારે શ્રેષ્ઠ આવાસ સુવિધા માનવીને મળે તો લાઇફ સ્ટાઇલ જીવન ધોરણ પણ અપગ્રેડ થાય.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં આ જ બાબત કેન્દ્રસ્થાને રાખીને રાજ્ય સરકારે EWS, સ્લમ રિહેબીલીટેશન, LIG, વગેરેમાં આવશ્યક વસ્તુઓ, સુવિધાઓ, પબ્લીક એમીનીટીઝ આપ્યા છે. વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY વિકાસનો બેઇઝ છે. સૌને આવાસ છત્ર મળે વિકાસના અવસર મળે તેવો પ્રધાનમંત્રીશ્રીનો સંવેદનાસ્પર્શી હાર્દ આ યોજનામાં સમાયેલો છે. શહેરી ક્ષેત્રોમાં શ્રમજીવી વસાહતો ઝૂગ્ગી-ઝોંપડીના ઇન-સી-ટુ રિહેબીલીટેશન માટે આવાસ લાભાર્થી-આમજનતાની સહમતિથી કોન્ટ્રોવર્સી વિના આ પ્રોજેકટ પૂર્ણ કરીને દેશભરમાં ર૦રર સુધીમાં સૌને આવાસ મળે તે માટે આ વર્કશોપના વિચાર મંથનમાંથી નવી દિશા મળશે.

કેન્દ્ર સરકારના શહેરી વિકાસ સચિવ દુર્ગાશંકર મિશ્રાએ પ્રધાનમંત્રીની ર૦રર સુધીમાં સૌને આવાસ ઉપલબ્ધ કરાવવાની સંકલ્પનામાં ભારત સરકાર દ્વારા એફોડેબલ હાઉસીંગ, ક્રેડીટલીંન્ક સબસિડી, ઇન-સી-ટુ સ્લમ રિહેબીલીટેશન વગેરે ક્ષેત્રોમાં રાજ્યોને મદદ અને અપાયેલા લક્ષ્યાંકની છણાવટ કરી હતી. તેમણે કહ્યું કે, દેશના શહેરી ક્ષેત્રોમાં ૧.૮૭ કરોડ EWS, LIG વગેરેની જે શોર્ટજ હતી તે PMAYથી પૂર્ણ થવાનું આયોજનબધ્ધ પ્લાનીંગ થયું છે.

ગુજરાતે PMAYના બહુધા ઘટકોમાં અગ્રીમ પ્રગતિ કરી છે તેની તેમણે સરાહના કરી હતી. રાજ્યના શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશ પૂરીએ સૌને આવકારતાં વર્કશોપનો હાર્દ સ્પષ્ટ કર્યો હતો. ગુજરાતની PMAY-મુખ્યમંત્રી આવાસ યોજનાની સિધ્ધીઓનું પ્રસ્તુતિકરણ કરાવ્યું હતું. ભારત સરકારના એડીશનલ સેક્રેટરી શ્રી રાજીવરંજન મિશ્રા, ગુજરાતના મહાનગરોના કમિશનરો પણ આ વર્કશોપમાં જોડાયા હતા.                                        

Share This Article