ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને લઈ સરકારની સહાયની જાહેરાત, રૂપિયા ૭૦૦૦ થી ૧,૨૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે.જેમાં કપડા અને ઘરવખરી નુકસાન માટે સરકાર ૭૦૦૦ રૂપિયા ચુકવશે. સંપૂર્ણ નાશ થયેલ કાચા પાકા મકાન માટે ૧,૨૦,૦૦૦ ની સહાય અપાશે. આંશિક નુકસાન થયેલા પાકા મકાનોમાં ૧૫૦૦૦ ની સહાય.આંશિક નુકસાન થયેલ કાચા મકાનોમાં ૧૦,૦૦૦ ની સહાય. સંપૂર્ણ નાશ થયેલ ઝુંપડા માટે ૧૦,૦૦૦. ઘર સાથેના શેડ નુકસાન માટે ૫૦૦૦ ની સહાય અપાશે. તમામ સહાયમાં SDRF ઉપરાંત રાજ્ય સરકાર પોતાના બજેટમાથી વધારાની રકમ આપશે.
ગુજરાત સરકાર બિપરજોય વાવાઝોડાને લઈ રૂપિયા ૭૦૦૦ થી ૧,૨૦,૦૦૦ સુધીની સહાય અપાશે

By
News KhabarPatri
1 Min Read
